અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરામાં સ્વાઇન ફ્લૂનો ભરડો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો આતંક વધી રહ્યો છે. રોગચાળામાં થતા વધારાને કારણે પાણી જન્ય રોગ અને મચ્છર જન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ નોધાયા છે. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અત્યારે સિવિલમાં કુલ 19 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સ્વાઇન ફ્લૂના વધતા જતા રોગને કારણે ચાલુ માસમાં અત્યાર સુધીમાં 4 દર્દીઓના મોત થયા છે.


છેલ્લા 9માસમાં ફ્લૂથી 10ના મોત 
ગુજરાતમાં આગામી 15મીથી ચોમાસુ વિદાય લેવા જઇ રહ્યું છે. જ્યારે ચોમાસુ પુરૂ થતા જ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલમાં પણ 8 જેટવા સ્વાઇન ફ્લૂના કેસ પોઝિટિવ નોધાયા છે. જ્યારે સિવિલમાં સારવાર લઇ રહેલા 11 દર્દીઓમાંથી 5 અમદાવાદના તથા બજા 6 દર્દીઓ અન્ય શહેરોના છે. મળતી માહિતી મુજબ છેલ્લા 9માસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 26 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી 10 લોકોના સારવાર દરમિયાન મૃત્યું થયા છે.