રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ શહેરમાં આજે સવારે એક જાણીતા જ્વેલર્શનો શોરૂમ ધરાવતા માલિકનાં વયોવૃદ્ધ પત્નીએ સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. ફ્લેટમાં રહેતા રહીશો દોડી આવ્યા હતા, જ્યારે પરિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં અમીન માર્ગ ઉપર આવેલ વાલ્કેશ્ર્વર એપાર્ટમેન્ટમાં રહેતા અને યાજ્ઞિક રોડ ઉપર તનિષ્ક જ્વેલર્સ નામનો શોરૂમ ધરાવતા મનુભાઈ મહેતાના પત્ની અને ધર્મેશભાઈ મહેતાના માતા લીલાવતીબેન મનુભાઈ મહેતા નામના 74 વર્ષના વૃધ્ધાએ બિમારીથી કંટાળી આજે સવારે આઠેક વાગ્યાના અરસામાં એપાર્ટમેન્ટના સાતમાં માળે પોતાના મકાનની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવી હતી. 


દાદાએ પૌત્રીના 7 ટુકડા કરીને 7 જુદા જુદા ખાડામાં દાટ્યા, આખી ઘટના વાંચી કંપારી છૂટી જશે


વૃધ્ધા સાતમાં માળેથી નીચે પટકાતા ફ્લેટમાં મોટો અવાજ આવ્યો હતો. અવાજના પગલે ત્યાં ફરજ બજાવતા સિકયુરિટી ગાર્ડ દોડી ગયા હતા. વૃધ્ધાને લોહી લુહાણ હાલતમાં જોતા સિકયુરિટી ગાર્ડે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને જાણ કરતાં લોકોનાં ટોળા એકઠા થયા હતા. બનાવ અંગે માલવિયા પોલીસને જાણ થતા માલવિયા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મોતની છલાંગ લગાવનાર વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવે તે પૂર્વે જ લીલાવતીબેન મહેતાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. 


[[{"fid":"201264","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


PM મોદીનું મિશન@દક્ષિણ ગુજરાત, સુરત એરપોર્ટ પહોંચ્યા, કરોડોના કામોનું કર્યું લોકાર્પણ


વૃધ્ધાના આપઘાતના પગલે પરિવારમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો હતો. આપઘાત અંગે પોલીસે કરેલી પ્રાથમિક પુછપરછમાં મૃતક લીલાવતીબેને બિમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું પરિજનોએ જણાવ્યું છે. આ બનાવ અંગે માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઈ એ.આર.મલેક અને રાઈટર અરૂણભાઈ ચાવડાએ અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...