હિતલ પારેખ/ગાંધીનગર :કલોલના વાસજડા ગામના ભૂવા સામે બળાત્કારનો કેસ નોંધાયો છે. લગ્ન બાદ એક વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ ન થતા દંપતી ભૂવા પાસે ગયું હતું, જ્યા ભૂવાએ તાંત્રિક વિધીના નામે પરિણીતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના બાદ ભૂવાએ મહિલાને ધમકી પણ આપી હતી કે, આ વાત કોઈને કહેશો તો માતાજી રુઠશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરવાસીઓ માટે ગર્વ લેવા જેવો છે આજનો દિવસ, ભૂચર મોરીના યુદ્ધમાં મોગલોને હરાવ્યા હતા


પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસજડા ગામે રહેતો રમણજી ફુલાજી ઠાકોર નામનો વ્યક્તિ ભૂવા તરીકે કામ કરે છે. કલોલ પાસે રહેતા એક દંપતીને બાળક થતુ ન હતું. એક વર્ષ સુધી સંતાન ન થતા તેઓ રમણજી પાસે પહોંચ્યા હતા. દંપતી છ મહિના સુધી આ ભૂવા પાસે દર રવિવારે દર્શન કરવા જતું હતું. ભૂવાએ દંપતીને દર રવિવારે માતાજીના દર્શને આવવાનું કહેતા તેઓએ રવિવાર ભરવાના શરૂ કર્યા હતા. ત્યારે એક દિવસ ભૂવાએ દંપતીને કહ્યું કે, આ મહિલા પર ખાસ વિધી કરવી પડશે, તેના માટે તમારે મારા ઘરે આવવું પડશે. 18 ઓગસ્ટના રોજ ઘરે આવીને ભૂવાએ એકાંતમાં મહિલાને મળવાનું પતિ સામે કહ્યું હતું. વિધી કરાવવાને બહાને તે મહિલાને બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, જો તને સંતાન જોઈતુ હોય તો મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે. 


નર્મદા ડેમ 133.39 મીટરની ઐતિહાસિક સપાટીએ, ગુજરાતનું જળ સંકટ ટળ્યું


આમ, ભૂવાએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને ત્યાંથી જતો રહ્યો હતો. શારીરિક સંબંધો બાંધ્યા બાદ પરિણીતાને ભૂવાએ ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહેશે તો માતાજી રુઠશે. બળજબરીથી ભૂવાએ પરણીતા સાથે બાંધવાને લીધે તે ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. આખરે પતિને તેના આ પ્રકારના વર્તનથી શંકા જતા તેણે પૂછપરછ કરી હતી, જેથી ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો.


આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે ભૂવા રમણજી ઠાકોર સામે દુષ્કર્મનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને હાલ ભૂવાની ધરપકડ કરી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :