જાવેદ સૈયદ, અમદાવાદ: રાજ્યમાં કેટલાક સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, તો ક્યાંક ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી યથાવત રહેતા લોકો ત્રાસ પોકારી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત રહશે. જેને લઇને બે દિવસ માટે AMCએ યલો એલર્ટ જાહેર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પાણીના કકળાટ વચ્ચે ઓલપાડના ખેડૂતોની સફળ ખેતી, ઓછા ખર્ચે મળ્યો વધુ નફો


મહત્વનું છે કે રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત રહેતા અમદાવાદીઓને ગરમીથી શેકાઉ પડશે. જેને લઇ બે દિવસ માટે AMCએ યલો એલર્ટ જાહેર કર્યું છે. ગઇકાલે એટલે સોમવારે અમદાવાદમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. અમરેલીમાં 41.8 ડિગ્રી અને વડોદરામાં 40.6 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. 


વધુમાં વાંચો: અમદાવાદ: માલધારીઓ મુદ્દે પૂર્વ MLA ભવન ભરવાડે લખ્યો સીએમ અને ગૃહમંત્રીને પત્ર


જો કે, 20 મે પછી શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર જવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. વધુમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે.


વધુમાં વાંચો: જૂનાગઢ: મીડિયા કર્મી પર લાઠીચાર્જ મામલે 1 PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન 15 મેથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે. જેની અસરોથી 14થી 18 મે દરમિયાન તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...