​Gujarat Sudden Heart Attack case: ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં વધારો અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જરૂર કરતાં વધુ મહેનત ન કરવાની સલાહ આપ્યા બાદ અમદાવાદમાં હદય સંવાદનું આયોજન કરવામાં આવશે. રેડક્રોસ અને IMA અનુસાર, રાજ્યમાં હાર્ટ એટેકની સમસ્યામાં 28 ટકાનો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હાર્ટ એટેકના કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના (Mansukh Mandaviya) નિવેદને નવી ચર્ચા જગાવી છે. હાર્ટ એટેકનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. માંડવિયાએ કહ્યું કે જે લોકોને કોરોનાને કારણે વધુ ચેપ લાગ્યો હતો અને જેમને સ્વસ્થ થવામાં વધુ સમય લાગ્યો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આવા લોકોને ઓછી મહેનત કરવાની સલાહ આપી છે. માંડવિયાએ આ પાછળ ICMRના અભ્યાસને ટાંક્યો છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં 28 ટકાનો વધારો થયો છે. આ જ કારણ છે કે સામૂહિક સ્તરે ગરબા અને સીપીઆર તાલીમના આયોજનમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોવા છતાં રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી. યુવાનો પણ આનો શિકાર બની રહ્યા છે.


નવ લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલ કેસમા મોટા અપડેટ : પિતા-પુત્રમાંથી કોને મળ્યા જામીન


હૃદય સંવાદ કરશે ડોક્ટરો
કેન્દ્રીય આરોગ્ય મંત્રીના નિવેદન બાદ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત અને અમદાવાદ મેડિકલ એસોસિએશને હાર્ટ એટેકની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. બંને સંસ્થાઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં હૃદય સંબંધિત સમસ્યાઓમાં 28 ટકા અને અમદાવાદમાં 30 ટકાનો વધારો થયો છે. હાર્ટ એટેકની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, રેડક્રોસ સોસાયટી એ સંયુક્ત રીતે રાજ્યમાં 9મી નવેમ્બરે હૃદય સે સંવાદનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.


રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસો સૌરાષ્ટ્રમાંથી શરૂ થયા છે. છેલ્લા છ મહિનામાં એકલા રાજકોટમાં એક ડઝનથી વધુ હાર્ટ એટેકના કેસ નોંધાયા છે. જેમાં મૃતકની ઉંમર આશરે 40 વર્ષ કે તેથી ઓછી હતી. તેમાં ગુજરાતના હાર્ટ એક્સપર્ટની ટીમ હાજર રહેશે. આ સંવાદ અમદાવાદમાં 9 નવેમ્બરના રોજ સાંજે 4 થી 7 દરમિયાન નારણપુરા વિસ્તારમાં આવેલા GSC બેંકના ઓડિટોરિયમમાં યોજાશે. અમદાવાદ બાદ ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ સંવાદનું આયોજન કરવામાં આવશે.


‘રાણો રાણાની રીતે’ ફેમ દેવાયત ખવડે ફરી માફી માંગી, સરદાર પટેલ પર કરી હતી ટિપ્પણી


નવ દિવસમાં 36 મૃત્યુ 
ગુજરાતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન, સાતમા અને આઠમા દિવસ વચ્ચેના 24 કલાકમાં 11 મૃત્યુ નોંધાયા હતા. આ પછી યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલે મંચ પરથી જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી. એક અંદાજ મુજબ રાજ્યમાં નવરાત્રિના નવ દિવસમાં 36 યુવાનોના કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થયા છે. 45 વર્ષ સુધીના લોકોમાં પણ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કેસમાં 25 ટકાનો વધારો થયો છે. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે 750 થી વધુ કોલ મળ્યા હતા.


મુખ્યમંત્રીને દિલ્હીનુ ઓચિંતું તેડું કેમ? PMના ગુજરાત પ્રવાસના બીજા જ દિવસે બોલાવાયા