યોગીન દરજી/ખેડા: જિલ્લાના કપડવંજ પાસે આવેલા ઉટકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેથી એક પ્રેમી યુગલની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવાતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો. પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કે આ યુગલ દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસમાં પ્રેમી યુગલની પાસે થી ઠંડાપીણાની બે બોટલો મળી આવી છે. પોલીસને આશંકા છે, કે આ ઠંડાપીણાની બોટલમાં ઝેર ભેળવીને પ્રેમી યુગલે આત્મહત્યા કર્યાંની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે, કે આ યુગલ દ્વારા પ્રેમ પ્રકરણમાં આત્મ હત્યા કરી હોવાની આશંકા છે. 


વધુમાં વાંચો...એમ્બ્યુલન્સ ચાલકોની હડતાળ: પાર્કિગ મુદ્દે તકરાર થતા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો રઝળ્યા


પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે, કે પ્રેમી યુગલ અમદાવાદના રહેવાસી છે. પોલીસ દ્વારા મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે. તથા મૃતદેહ પાસે પડેલી ઠંડાપીણાની બોટલને એફએસએલમાં મોકલીને આ મામલે આતરસુંભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.