ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા બટેટા પર જાહેર કરવામાં આવેલી ટ્રાન્સપોર્ટ સબસીડી ન મળતાં ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. વર્ષ 2017માં બટેટાનુ મબલખ ઉત્પાદન થતાં બટેટાનો સ્ટોક ખાલી કરવા માટે કિલોએ એક રૂપિયાની ટ્રાન્સપોર્ટ સબસીડી જાહેર કરી હતી. જે હજુ સુધી ન મળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો. ગુજરાતમાં બટેટાનુ વાવેતર મોટ પ્રમાણમાં થાય છે, અને તેનુ ઉત્પાદન પણ મબલખ હોય છે. ત્રણ વર્ષ અગાઉ રાજ્યમાં બટેટાનું મબલખ ઉત્પાદન થતાં ભાવ તળીયે આવી ગયા હતા. ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો ત્યારે સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ સબસીડીની જાહેરાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરળતાથી મળતો સસ્તો નશો: આંતરડા, લિવર અને હાકડાને પહોંચાડે છે મોટુ નુકસાન


સરકારે બટાટાજો ખેડુતો રોડ ટ્રાન્‍સપોર્ટથી કરશે તો ૭૫૦ પ્રતિ મેટ્રીક ટન, રેલ્‍વે દ્વારા કરશે તો ૧૧૫૦ પ્રતિ મેટ્રીક ટન તથા દેશ બહાર નિકાસ કરવામાં આવે તો કુલ વાહતુક ખર્ચના ૨૫ ટકા અને વધુમાં વધુ ૧૦ લાખની મર્યાદામાં પ્રતિ ખેડુત દીઠ સહાય આપવાની જાહેરાત કરી હતી. જાણીને નવાઇ લાગશ કે હજુ ત્રીસ ટકા કરતાં વધારે ખેડૂતોને સહાય ચુકવાઇ નથી. સરકારના કહેવા પ્રમાણે ફંડ ન હોવાથી સબસીડી ચુકવાઇ નથી. 


સેનેટ વેલફેરની માટે ઉમેદવારો તૈયાર પરંતુ કોઇ ચૂંટણી કરાવવા માટે તૈયાર નથી


પહેલી વારની સબસીડી મળી ન હતી અને બીજી સીઝનમાં પણ બટેટાનુ ઉત્પાદન વધારે થતાં સરકારે બટેટાનું સ્ટોરેજ કરવા માટે સબીસીડીની જાહેરાત કરી હતી. બટાટાના પ્રતિ કટ્ટે ૫૦ રૃપિયાની સબસીડી જાહેર કરી હતી. જે પ્રમાણે એક ખેડુત દીઠ ૬૦૦ કટૃાની મર્યાદા પ્રમાણે વધુમાં વધુ ૩૦ હજાર રૃપિયાની સબસીડી જાહેર કરવામાં આવી છે, પરતું હજુ સુધી આ સબસીડીની ચુકવણી કરવામાં ન આવતા ખેડુતોની હાલત કફોડી થઇ રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી ખેડા અને આણંદના લાખો ખેડૂતોએ સબસીડી માટે અરજી કરી હતી. જેમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોને સબસીડી મળી હતી બાકીના ખેડૂતો આજે પણ ચાતક નજરે સબસીડીની રાહ જોઇ રહ્યા છે.


જ્યારે અમદાવાદનાં રસ્તાઓ પર પ્રજ્ઞાચક્ષુ લોકોએ ચલાવી ગાડી, લોકો આશ્ચર્ય ચકિત થયા


સરકારનું કહેવુ છે કે હાલમાં પર્યાપ્ત ફંડ ન હોવાને કારણ સબસીડી ચુકવાઇ નથી. સરકારે આપેલા જવાબથી કોલ્ડસ્ટોરેજના એશોશીએશનના હોદ્દેદારો અને ખેડૂતોના પગ તળેથી જમીન સરકી ગઇ. જો ત્રણ વર્ષથી માત્ર બટેટાની સબસીડી ચુકવાઇ નથી. ચાલુ વર્ષે થયેલી અતીવૃષ્ટીથી થયેલા નુકસાન અને  તીડના અતીક્રમણથી થયેલા નુકસાનની રકમ ક્યારે ચુકવાશે તે સવાલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube