ઝી બ્યુરો/જૂનાગઢ: રાજ્યમાં આજકાલ મહિલાઓ પર શારિરીક અને માનસિક ત્રાસની ઘટનાઓ બનતી જાય છે, ત્યારે જૂનાગઢમાં પરિણીત મહિલાના મોતનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ્રિલના અંત અને મે મહિનામા કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? અંબાલાલની આ આગાહીથી ફફડાટ


મળતી માહિતી મુજબ નીરાલી બેન નામના મહિલાનું બાથરૂમમાં ઉભડક બેઠેલા અને મોઢું પાણીની ડોલમાં ડુબેલ હાલતમાં મળી આવ્યું હતું. તેમના પતિ સંજય સિંગડીયા થોડીવાર પહેલા જ ગેરેજ જવા નીકળ્યા હતા, ત્યાં પરત ફરતા આ દ્રશ્ય જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેઓ તેમની પત્ની નિરાલીને તરત દવાખાને લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે નિરાલી બેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.


ગેનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે...! નૌકાબેનના નિવેદન બાદ ગેનીબેનનો વળતો પ્રહાર


પોલીસે આ વિચિત્ર મોત અંગે મૃતદેહ જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે હાલ તો..ઉપરાંત તેમના પતિનું નિવેદન લઇ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે..મૃતક મહિલાના 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા.. તેમને સંતનમાં દીકરો દીકરી છે..પરિવારમાં આ વિચિત્ર મોત થી શોકનું મોજું ફરી વળ્યુ છે.


મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ કરી એવી ભવિષ્યવાણી કે સૌ ચકિત!