ઉદય રંજન/અમદાવાદ: નારોલમાં રહેતા 10 વર્ષીય કનૈયા પરિહારની થોડા દિવસ પહેલા પરિવાર દ્વારા ગુમ થયા હોવાની ફરિયાદ નોધાવી હતી. જ્યારે મંગળવારના દિવસે લાંભા પાસે આવેલા એક ખેતરમાંથી 10 વર્ષના બાળકનું કંકાલ મળી આવ્યું છે. આ કંકાલ મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જાણ થઇ કે આ કંકાલન અગાઉ ગૂમ થયેલા કનૈયા પરિહારની છે. તેની હત્યા કરીને ખેતરમાં દાટી દેવામાં આવ્યો હતો. 
 
કનૈયા પરિહારનો કંકાલ મળતા પોલીસ દ્વારા તપાસ કરાતા જાણ થઇ કે થોડા દિવસ અગાઉ કનૈયાના મામા દ્વારા પાડશમાં રહેતી મહિલા સાથે શારિરીક અડપલા કરવામાં આવ્યા હતા. જેથી પાડોશી દ્વારા જ અંગત અદાવત રાખીને કનૈયાની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા માનાવમાં આવી રહ્યું છે.


જયંતિ ભાનુશાળી હત્યા મામલો: હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકાર


મહત્વનું છે, કે આ હત્યા કનૈયાના મામાના પાડોશી દ્વારા કરવામાં આવી હતી. જ્યારે પોલીસે નારોલ પાસેથી સુધીર નામના એક સખ્શની અટકાય કરી છે. અને કનૈયાની હત્યા કેવી રીતે કરી તે અંગેનો પોલીસ દ્વારા કૌયડો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.