મૌલિક ધામેચા/ અમદાવાદ : સામાન્ય રીતે બળાત્કારની ફરિયાદ ભોગ બનનાર જાહેર કરે ત્યાર બાદ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. પરંતુ ઈસનપુર પોલીસે હત્યાના ગુનામાં અટકાયત કરેલી સગીરાના મેડીકલ રિપોર્ટમાં તે ગર્ભવતી હોવાનુ સામે આવતા પોલીસે વધુ એક ગુનો નોંધી બળાત્કારના ગુનામાં આરોપી યુવતીના પ્રેમીની પણ ધરપકડ કરી છે. 11 જુલાઈના રોજ શહેરના ઈસનપુર વિસ્તારમાં એક યુવકને છરીના ઘા મારી લુંટ માટે હત્યા કરવાનો બનાવ બન્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ પાછળ દિવસરાત જીવના જોખમે ફરતા ટ્રેકરને 4 મહિનાનો પગાર નહી ચુકવાતા હડતાળ


જે ગુનામાં પોલીસે 3 યુવકોની ધરપકડ કરી હતી. ઉપરાંત 2 સગીરાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે સગીરાઓને જુએનાઈલ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મેડિકલ પરિક્ષણ કરાવવા અંગે જણાવ્યુ હતુ. જે મેડિકલમાં એક સગીરા ગર્ભવતી હોવાનુ સામે આવ્યુ અને તેને 4 માસનો ગર્ભ હોવાની હકિકત ફલિત થઈ હતી. 


ACB નો સપાટો: GPCB ના અધિકારી પાસેથી 2 કિલો સોનું, 55 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા


જે અંગે ઈસનપુર પોલીસે ગુનો નોંધી સગીરાના પ્રેમી જયમીન ઉર્ફે જય પંચાલ વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સગીરા ગર્ભવતી હોવાનો રિપોર્ટ આવતા પોલીસે પોક્સોની કલમો હેઠળ જયમીન વિરુધ્ધ ગુનો નોંધ્યો. જેમા સગીરાએ ફરિયાદમાં ઉલ્લેખ કરાવ્યો છે કે, યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.


Gujarat Corona Update: કોરોનાયુક્ત 912, કોરોના મુક્ત 828, કેન્દ્રીય ટીમ ફરી ગુજરાતની મુલાકાતે


જોકે મહત્વની વાત એ છે કે અગાઉ  જયમીને અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. ભોગ બનનારે તેના લગ્નમાં પણ હાજર રહી હતી. કારણ કે આરોપીએ તે પત્નિને લગ્ન બાદ છુટાછેડા આપી સગીરા સાથે લગ્નનુ વચન આપ્યુ હતું. લગ્ન બાદ પણ બંન્ને વચ્ચે શારિરીક સંબંધો ચાલુ રહ્યા હોવાનુ પોલીસ તપાસમા સામે આવ્યુ છે. જયમીન પંચાલ ઈશનપુરનો રહેવાશી અને સગીરા સાથે આશરે 1 વર્ષ પહેલા સંપ્રર્કમા આવ્યો હતો. આરોપીના લગ્ન બાદ પણ એક બીજાના સંપર્કમા રહ્યા હતા. જે દરમિયાન સગીરા ગર્ભવતી થઈ છે. જેને લઈ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. સગીરાની સારવાર શરૂ કરાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube