કેતન બગડા/અમરેલી : રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે યુવાનના ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારથી હત્યા નિપજાવવાનાની ઘટનામાં પોલીસે હત્યારાને ઝડપી પૂછપરછ હાથ ધરી છે. રાજુલાના કુંડલીયાળા ગામે રહેતા દલિત યુવાન રસિક દાનાભાઈ વાળાના ઘરમાં ઘૂસી તિક્ષણ હથિયાર વડે હત્યાની ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનની હત્યાનું કારણ જાણવા માટેની તજવીજ હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોનાના વળતા પાણી: નવા માત્ર 671 કેસ નોંધાયા, 806 દર્દી સાજા થયા


ઘટના અંગે જીણવટભરી તપાસ કરતા સામે આવ્યું કે, હત્યા આડા સંબંધોનાં કારણે થઇ હતી. જેના પગલે સાવરકુંડલાના મઢડા ગામમાં રહેતા મહેશ ઉર્ફે મેહુલ રવજીભાઈ ચૌહાણે છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને માહિતી મળતા જુદી જુદી ટીમો બનાવી પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે આરોપી સાવરકુંડલાના મઢડા ગામના સ્મશાનમાં હોવાની માહિતી મળતા પોલીસે આરોપીને ઝડપીને પૂછપરછ હાથ ધરી હતી. 


ખાખીએ લજવ્યો રંગ! કર્ફ્યૂ ભંગના નામે કર્યો 9 હજારનો તોડ, દરેક નાગરિકે વાંચવા જેવું


પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહેશ ઉર્ફે મેહુલ ચૌહાણના જણાવ્યા મુજબ તેમની બહેન કુંડલીયાળા ગામે સાસરે હતી. આ બહેનના મૃતક રસિક વાળા સાથે આડા સંબંધો હતા. આ બાબતે અગાઉ પણ બંનેને બોલાચાલી થઈ હતી. છેલ્લા થોડાક દિવસથી આરોપી કુંડલીયાળા ગામે જ રહેતો હોય તકનો લાભ લઇ આરોપી મહેશ રસિક વાળા નામના યુવાનની હત્યા નીપજાવી હતી. ત્યારે ડુંગર પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube