રવિ અગ્રવાલ/ વડોદરા : અલકાપુરી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. જો કે આ આત્મહત્યા પાછળનું કારણ ખુબ જ વિચિત્ર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઇદડા પુલાવ લેવા માટે ગયેલો પતિ વહેલો ઘરે નહી આવતા રિસાયેલી પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ તો કારણ જાણીને પોલીસ પણ ચોકી ઉઠી છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ આદરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: RSS કાર્યાલયનાં લોકાર્પણમાં કેશુભાઇ વ્હીલચેરમાં બેસીને આવ્યા
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શહેરનાં અલકાપુરી વિસ્તારમાં વાડીવાડ ખાતે મનિષા ભાવસાર નામની યુવતીએ પોતાનાં પરિવાર સાથે રહે છે. જો કે તેણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પતિ ઇદડા  પુલાવ લેવા માટે ગયો હતો જો કે થોડો મોડો આવવાનાં કારણે યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પરિવાર પણ આવા કારણથી આત્મહત્યા કરતા ચોંકી ઉઠ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube