ઝી બ્યુરો/ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા પક્ષમાં મહત્વના હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે. આ પૈકી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડક તરીકે સીજે ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસે ત્રણ ઉપ દંડકની વરણી કરી છે. જેમાં કિરિટ પટેલ, વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડવાલાના નામ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'તારા લગ્ન કોઈની સાથે નહીં થવા દઉં...', ધમકીને વશ થઈ લગ્ન કર્યા તો શરીરસુખ માણવા...'


ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા મંત્રી તરીકે કાન્તી ભાઇ ખરાડીની વરણી કરવામાં આવી છે. પ્રવક્તા તરીકે ચાર ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે. જેમાં જિગ્નેશ મેવાણી, તુષાર ચૌધરી, ગેની બેન ઠાકોર અને અનંત પટેલની નિમણુંક કરાઈ છે. જ્યારે ખજાનચી તરીકે દિનેશ ઠાકોરની નિમણુંક કરાઈ છે. 17 પૈકી 10 ધારાસભ્યોને મુખ્ય જવાબદારી સોંપાઈ છે.


મારો પતિ નપુંસક છે મને સુખ નથી આપતો, પતિ વડોદરા એરફોર્સ બેઝ પર સ્ક્વોડ્રન લીડર 


ઉલ્લેખનીય છે કે, અગાઉ વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાની જવાબદારી પૂંજા વંશ અને વીરજી ઠુમ્મરને સોંપાઈ હતી. આ ઉપરાંત કોંગ્રેસે વિધાનસભાના 6 પ્રવકતા પણ જાહેર કર્યા હતા. જેમાં અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોરને પ્રવકતા બનાવાયા હતા. અંબરીશ ડેર, નૌશાદ સોલંકી અને કિરીટ પટેલને પણ પ્રવકતાની જવાબદારી સોંપાઈ હતી. અને નિરંજન પટેલને વિપક્ષના ખજાનચી તરીકેની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ આખું માળખું વિખેરી નાંખવામાં આવ્યું હતું.


આવા સંતાનો કોઈને નો આપતા! મામાના દીકરાએ બે સગી બહેનોને બ્લેકમેઈલ કરી માણ્યું શરીરસુખ


મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભામાં ભાજપની એટલી પ્રચંડ બહુમતી આવી છે કે વિપક્ષ રહેશે કે નહિ તે સવાલ છે. સત્તા પક્ષ જો ઈચ્છે તો વિપક્ષ નેતા બની શકે તેમ છે.