અંબાજીઃ શકિતપીઠ અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મહામેળાની બુધવારે શરૂઆત થઈ ગઈ છે. મા અંબેના મંદિરમાં સુંદર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે મંદિર સુંદર રોશનીથી ઝગમગી ઉઠ્યુ હતું. પ્રથમ દિવસે 2,50,244 શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરીને ધન્ય થયા હતા. જ્યારે અત્યારે સુધીમાં 6 લાખ જેટલા ભક્તોએ અંબાજીના દર્શન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી મંદિરને થઇ લાખોની આવક
ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમને લઇ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને અંબાજીના દર્શન કરવા આવતા હોય છે. અંબાજીમાં ભાદરવી પૂનમ સુધી પાંચ દિવસ સુધી મહામેળો યોજાય છે. મેળાના પ્રથમ દિવસે ભંડાર અને ગાદીની રૂ. 25,01,790 જેટલી આવક થઈ હતી. અંબાજીમાં આવેલી વિવિધ બેન્કોમાં પણ રૂ.23,98,922ની આવક નોંધાઈ હતી. 14,196થી વધુ શ્રદ્ધાળુઓ એસટી બસમાં બેસીને પોતાના વતન જવા રવાના થયા હતા. પ્રથમ દિવસે અંબાજીમાં કુલ રૂ.49,00,712ની આવક નોંધાઈ હતી. 


[[{"fid":"183213","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ambaji","field_file_image_title_text[und][0][value]":"ambaji"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ambaji","field_file_image_title_text[und][0][value]":"ambaji"}},"link_text":false,"attributes":{"alt":"ambaji","title":"ambaji","class":"media-element file-default","data-delta":"1"}}]]


સુરક્ષાના હેતુથી અંબાજીમાં ચુસ્ત પોલીસ બંદોસ્ત 
અંબાજીમાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તંત્ર દ્વારા આ વર્ષે 30થી 40 લાખ જેટલા ભાવિક ભક્તો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભાદરવી પુનમ નિમિત્તે અંબાજી આવનારા ભક્તોની સુરક્ષા માટે 3000થી વધુ પોલીસ જવાનોને ઉતારવામાં આવ્યા છે. માર્ગમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા  57 સહાયતા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની અફવાઓને ફેલાતી અટકાવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાશે અને ભાદરવી પૂનમ સુધી ગુજરાત પોલીસ 24 કલાક ખડેપગે સેવા બજાવશે.