ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના ફફડાટ વચ્ચે ગાઈડલાઈન બદલાતી જાય છે. અમદાવાદમાં કોરોનાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. શહેરી તંત્ર સાથે જિલ્લા તંત્ર પણ કાર્યરત થયું છે. અમદાવાદ જિલ્લામાં હાલ એક પણ કોરોના કેસ છે નહીં આમ છતાં તંત્ર કોઈ પણ બાબતની બેદરકારી રાખવા માગતું નથી. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ નેગેટિવ થતા ગત રોજ શેલાના એક દર્દીને ડિસ્ચાર્જ અપાયો હતો. શહેરની હોસ્પિટલોમાં  ઓક્સિજન અને બેડની પુરતી વ્યવસ્થા ઉભી કરવા ઇન્ચાર્જ જિલ્લા કલેકટરે ખાતરી આપી છે. રેપીડ રીસપોન્સ ટીમની પણ વ્યવસ્થા કરાઈ છે. સરકારે કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા અધિકારીઓની અધ્યક્ષતામાં એક્સપર્ટની ટીમ બનાવાઈ છે. આવતી કાલે અમદાવાદ જિલ્લામાં મોકડ્રીલ પણ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પીએચસીમાં ટેસ્ટીંગની સુચના અપાઈ છે. જરૂર પડે ટેસ્ટીંગની સંખ્યા વધારાશે અને એરપોર્ટ પર ચેકીંગની વ્યવસ્થા કરાઈ છે. રેન્ડમલી બે ટકા પેસેન્જરનું ચેકીંગ થાય છે. 51 જેટલા પીએચસી અને સીએચસી પર ઓક્સિજન જનરેટ પ્લાન્ટની હાલમાં વ્યવસ્થા છે. ગત વેવની કપરી પરિસ્થિતિ જોઈ chc સેન્ટર પર ઓક્સિજન જનરેટ પ્લાન્ટ ઉભા કરાયા છે. સોલા સિવિલમાં 100 બેડ કોરોના માટે અનામત રખાયા છે. અગાઉ જિલ્લામાં 2700 બેડની વ્યવસ્થા કરાઈ હતી. જરૂર પડે અન્ય બેડની વયવસ્થા ઉભી કરવા પણ તૈયારીઓ દર્શાવી છે.


ગુજરાતની 32 હજાર શાળાઓ માટે સરકારનો મોટો નિર્ણય, માસ્ક ફરજીયાત કરાશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube