હનિફ ખોખર, જૂનાગઢ: સમગ્ર દેશમાં ચૂંટણી રહી છે ત્યારે એક પણ વોટર રહી ન જાય તે માટે ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે. ત્યારે દેશમાં એકમાત્ર મતદાતા ગણાતા મહંત ભરતદાસબાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર છબીલ પટેલે કબુલ્યો ગુનો


આ છે એશિયાઈ સિંહોનું ઘર ગીરનું જંગલ, અને આ જંગલની માધ્યમ આ પ્રાચીન શિવ મંદિર આવેલું છે જેનું નામ બાણેશ્વર મહાદેવ છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં જેનો શમાવેશ થાય છે. તે આ બાણેજની જગ્યા દુનિયાભરમાં એટલા માટે પ્રસિદ્ધ છે. કારણકે અહીંના મહંત ભરતદાસ બાપુ સૌથી અનોખા મતદાતા છે. ગીરના જંગલમાં રહેતા ભરતદાસ મહારાજ એકલા એવા મતદાતા છે. જેના માટે ચૂંટણી પંચ જંગલમાં એક ખાસ મતદાન મથક બનાવે છે અને બાબા ભરતદાસ એકલા મતદાન કરે છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડૉ સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, વન વિભાગના સહકારથી બાણેજની બાજુમાં આવેલ ફોરેસ્ટના થાણામાં મતદાન મથક બનાવવામાં આવે છે અને દેશના એક માત્ર મતદાતા ભરતદાસ બાપુ એકલા મતદાન કરે છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...