રક્ષિત પંડ્યા, રાજકોટ: નેતાઓ જાહેરસભાના ભાષણમાં ભલેને ભાઇચારાની વાતો કરતા હોય પરંતુ અંતે તો તેઓ જ્ઞાતિ અને જાતિવાદીના રાજકારણ વચ્ચે રચ્યા-પચ્યા રહેતા હોય છે અને તેના જ કારણે ચૂંટણીનું ગણિત જ્ઞાતિ-જાતિના સમીકરણ આધારિત લાદવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંઠણીમાં સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની 7 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે કરેલા ઉમેદવારોની પસંદગી જ્ઞાતિના સમીકરણના આધારે જ કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ શું છે સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ આધારિત રાજકારણ અને શું છે માહોલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના પ્રમોશન માટે વિવેક ઓબેરોય આવી પહોંચ્યા વડોદરા


લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બંને રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર અર્થે જોર સોરથી લાગી ગયા છે. ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રકો પણ ભરી દીધા છે. ત્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ વખતે સૌરાષ્ટ્રની 7 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા પાટીદાર, કોળી અને એક એક આહીર ઉમેદવારને ટિકિટ ફાળવી છે. આમ તો મોટા ભાગે નેતાઓ જાહેરમાં બધા સમાજને સાથે રાખી ચાલવાની વાત કરતા હોય છે. ભાઇચારાની વાતો કરતા હોય છે. ત્યારે એક વાત નિશ્ચિત છે કે, ચૂંટણી ગમે તે હોય પરંતુ ચૂંટણી સમાજના સમીકરણ ઉપર જ આધાર રાખતી હયો છે અને એટલા માટે જ આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 7 બેઠકો પર ભાજપે 3 પટેલ, 3 કોળી અને 1 આહીર ઉમેદવારને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ 4 પટેલ, 2 કોળી અને 1 આહીર ઉમેદવારને ટિકિટ આપી છે.


અમદાવાદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યા કાર્યકર્તા


જ્યારે ભાવનગરના ભારતીબેન શિયાળ, સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા અને જુનાગઢમાં રાજેશ ચુડાસમા કોળી ઉમેદવાર છે, અને જામનગર બેઠક પરથી પુનમ માડમને ટિકિટ આપવામાં આવી છે. જે આહીર ઉમેદવાર છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારોની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક પર લલિત કથગરા કે જેઓ કડવા પટેલ છે, અમરેલીમાં પરેશ ધાનાણી, પોરબંદરમાં લલિત વસોયા અને ભાવનગરમાં મનહપ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે 7 બેઠકો પૈકા સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર બેઠક પર રસાકરીનો જંગ થાય તેમ છે તેવામાં ભાજપને આ 3 બેઠક પર કબ્જો યથાવત રાખવા મહેનત વધુ કરવી પડશે.


વધુમાં વાંચો: દાદી, પૌત્ર અને હવે બાકી હતું તો બહેન પણ જુઠ્ઠુ બોલવા આવી ગઇ: જીતુ વાઘાણી


લોકસભાની ચૂંટણીની સાથે સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 3 બેઠકો પર ચૂંટણી યોજવાની છે. જેમાં કોંગ્રેસ 3 બેઠક પર પાટીદાર ઉમેદવાર મેદાને ઉતર્યા છે. જ્યારે ભાજપે એક પટેલ, એક કોળી અને એક આહીર ઉમેદવારને ટિકિટ ફાળવી છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં મુખ્ય ઉમેદવાર જય પરાજય પાટીદાર, કોળી અને આહીર સમાજ નક્કી કરશે. કારણ કે, આ ત્રણેય જ્ઞાતિની વસ્તી જે તે લોકસભા વિસ્તારમાં બહુમતીમાં છે. જ્યારે એન્ય સમાજના મતદારો પણ નિર્ણાયક બની રહેશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, જ્ઞાતિ આધારિત રાજકારણમાં સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રોવાળી ભાજપ ફરી એક વખત સૌરાષ્ટ્રની સાત બેઠક પર કબ્જો બળવાન રાખશે કે પછી હમેશા ખેડૂતોની સાથે રહેતી હોવાનો દાવો કરતી કોંગ્રેસ પાટીદારોને મેદાને ઉતારી વિધાનસભાના પરિણામની લોકસભા ચૂંટણીમાં કબજો જમાવશે તે જોવું રહ્યું.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...