ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 15 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,335 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 19,648 ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 108 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 106 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 12,13,335 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,943 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. પરંતુ રાહતના સમાચાર કહી શકાય કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું નથી. રાજ્યમાં આજે કોરોનાના કુલ 12 કેસ નોંધાયા તે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 2 એમ કુલ 12 કેસ નોંધાયા છે. 



બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 327 ને રસીનો પ્રથમ અને 3908 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 91 ને રસીનો પ્રથમ અને 863 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 4606 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 1513 ને રસીનો પ્રથમ જ્યારે 8340 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 19,648 રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,79,66,638 ડોઝ અપાઇ ચુક્યાં છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube