ગાંધીનગર: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે, ત્યારે ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં કોરોનાના નવા 50 કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,158 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.74 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 4,21,081 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 318 એક્ટિવ કેસ છે. જે પૈકી 09 નાગરિકો વેન્ટીલેટર પર છે. 309 સ્ટેબલ છે. 8,17,158 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10094 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે રાજકોટમાં એક વ્યક્તિનું મોત થયું છે. 


આજના કોરોના પોઝિટીવ કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે, જ્યારે 8 ડિસ્ચાર્જ થયા છે. તેવી રીતે સુરત કોર્પોરેશનમાં 6 કેસ અને 5 લોકો ડીસ્ચાર્જ થયા છે. વડોદરામાં 6, રાજકોટમાં 4, વડોદરા કોર્પોરેશન 4, કચ્છમાં 3, ભાવનગર કોર્પોરેશન 2, આણંદમાં 1, ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, નવસારીમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1, તાપીમાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયા છે, આ પ્રકારે કુલ 50 કેસ આવ્યા છે.


રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 13 ને પ્રથમ જ્યારે 2842 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8068 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 105018 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 27231 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 277909 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 4,21,081 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 8,19,03,703 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube