ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 225 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 243 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.00 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,868 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,855 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,56,970 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે આજે એક દર્દીનું મોત થયું છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,007 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 80 કેસ નોંધાયા છે, વડોદરા કોર્પોરેશનમાં 29, સુરત કોર્પોરેશન 25, ડાંગ 11, રાજકોટ કોર્પોરેશન 9, વલસાડ 8, સુરત 6, ગાંધીનગર કોર્પોરેશન 5, ગીર સોમનાથ 5, નવસારી 4, પોરબંદર 4, રાજકોટ 4, બનાસકાંઠા 3, કચ્છ 3, પંચમહાલ 3, વડોદરા 3, અમદાવાદ 2, આણંદ 2, ભરૂચ 2, ભાવનગર કોર્પોરેશન 2, બોટાદ 2, ગાંધીનગર 2, સુરેન્દ્રનગર 2, અમરેલી 1,  અરવલ્લી 1, ભાવનગર 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, મહીસાગર  1, મહેસાણા 1, મોરબી 1 અને તાપી 1 એમ કુલ 225 કેસ નોંધાયા છે.


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,34,373 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1033 ને રસીનો પ્રથમ અને 3302 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 


15-17 વર્ષના લોકો પૈકી 395 ને રસીનો પ્રથમ અને 524 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 22520 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 653 ને રસીનો પ્રથમ અને 1396 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,34,373 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,34,43,568 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube