ગાંધીનગર : રાજ્યમાં આજે પણ કોરોનાના નવા 33 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 25 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,588 નાગરિકો દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે રસીના કુલ 24,086 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 222 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 220 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,13,588 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. 


ગુજરાતના વિદ્યાર્થીની અનોખી સિદ્ધિ: દેશની દરેક ચાની કીટલીઓ પર વાપરવામાં આવે તો આવશે આમૂલ પરિવર્તન


સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 22 નોંધાયા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, અમદાવાદમાં 1, સુરત 1 એમ કુલ 33 કેસ નોંધાયા છે. 


શું હાર્દિકની નારાજગી થશે દૂર? કોંગ્રેસથી નારાજ હાર્દીક પટેલ હાઇ કમાન્ડના શરણે, મુલાકાતનો માંગ્યો સમય


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 715 ને રસીનો પ્રથમ જ્યારે 9083 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 111 ને રસીનો પ્રથમ અને 933 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 6686 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. 12-14 વર્ષના નાગરિકો પૈકી 621 ને રસીનો પ્રથમ અને 5937 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 24,086 ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,84,05,323 કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube