ગાંધીનગર : ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 98 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 69 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 1,75,539 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 694 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. 686 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1 અને પોરબંદરમાં 1 વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં 10111 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થયા છે. 


નવા આવેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 32, સુરત કોર્પોરેશનમાં 18, રાજકોટ કોર્પોરેશન 07, વડોદરા કોર્પોરેશન 10, કચ્છમાં 6, વલસાડ 5, ખેડા-રાજકોટમાં 3-3, ગાંધીનગર કોર્પોરેશન અને જુનાગઢ કોર્પોરેશનમાં 2-2, નવસારી-સાંબરકાંઠા-વડોદરામાં 2-2-2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, સુરત 1 એમ કુલ 98 કેસ નોંધાયા છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3ને પ્રથમ અને 506 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષ કે તેનાથી વધારેના 5428 નાગરિકોને રસીનો પ્રથમ અને 41887 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 17788 નાગરિકોને રસીનો પ્રથમ અને 109927 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,75,539 રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,80,73,273 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube