ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં આજે ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના 894 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 691 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાહતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.71 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5099 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5091 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,28,955 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 295 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 65, સુરત કોર્પોરેશનમાં 54, મહેસાણા 45, પાટણ 38, ગાંધીનગર 31, રાજકોટ કોર્પોરેશન 31, કચ્છ 30, ગાંધીનગર કોર્પોરેશન 27, સુરત 24, દેવભૂમિ દ્વારકા 23, ભાવનગર કોર્પોરેશન 22, બનાસકાંઠા 21, વલસાડ 19, ભરૂચ 18, રાજકોટ 18, વડોદરા 16, આણંદ 15, મોરબી 15, સાબરકાંઠા 15, પોરબંદર 10, અમદાવાદ 8, જામનગર કોર્પોરેશન 7, ખેડા 7, નવસારી 7, અમરેલી 6, પંચમહાલ 5, અરવલ્લી 4, સુરેન્દ્રનગર 4, તાપી 4, ભાવનગર 3, ગીર સોમનાથ 3, દાહોદ 2, જામનગર 2 એમ કુલ 894 કેસ નોધાયા છે.


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,93,074 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1634 ને રસીનો પ્રથમ અને 3479 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 117 ને રસીનો પ્રથમ અને 794 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 22243 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1705 ને રસીનો પ્રથમ અને 1464 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 161638 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,28,32,132 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube