ગાંધીનગર: ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ગઈકાલની સરખામણીએ આજે થોડો વધારો નોંધાયો છે. આજે કોરોનાના 26 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 30 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,595 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,95,444 નાગરિકોનું રસીકરણ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 295 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 293 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 12,12,595 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.  આજે રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 3, દાહોદ 1, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા 1, વલસાડ 1 એમ કુલ 26 કેસ નોંધાયા છે. 


શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રી ક્યારથી ઉજવાશે? ટ્રસ્ટે જાહેર કર્યો વિગતવાર કાર્યક્રમ

રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 3321 ને રસીનો પ્રથમ અને 21105 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2887 ને રસીનો પ્રથમ અને 11611 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 15260 ને પ્રિકોર્શ ડોઝ અને 12-14 વર્ષના તરૂણો પૈકી 141260 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 1,95,444 રસીના ડોઝ આજના દિવસમાં અને અત્યાર સુધીમાં કુલ 10,55,39,512 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube