ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ અચાનક ઘટવા લાગ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના 8338 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીની તુલનાએ ખુબ જ ઓછા હતા. બીજી તરફ 16629 દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 10,83,022 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 92.65 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 4,49,165 નાગરિકોનું રસીકરણ કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોનાના નવા 8338 કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2702 કેસ, 8 દર્દીના મોત થયા છે. વડોદરા 2196 કેસ, 3 દર્દીના મોત, રાજકોટમાં 635 કેસ, 6 દર્દીના મોત, સુરતમાં 394 કેસ, 5 દર્દીના મોત, ગાંધીનગરમાં 287 કેસ, 2 દર્દીના મોત, ભાવનગરમાં 92 કેસ, 5 દર્દીના મોત, જામનગરમાં 116 કેસ, 2 દર્દીના મોત, જૂનાગઢમાં 76, પાટણ 224, બનાસકાંઠામાં 212 કેસ, કચ્છમાં 210, ભરૂચમાં 145, મહેસાણા 130 કેસ મોરબીમાં 116, ખેડામાં 112, પંચમહાલમાં 98 કેસ, આણંદમાં 95, સાબરકાંઠામાં 84, વલસાડમાં 81 કેસ, અમરેલીમાં 61, નવસારીમાં 39, ગીરસોમનાથમાં 37 કેસ, સુરેન્દ્રનગરમાં 37, તાપીમાં 34, દાહોદમાં 33 કેસ, છોટાઉદેપુર - દ્વારકા - મહિસાગર 16 - 16 કેસ, ડાંગમાં 13, નર્મદામાં 11, અરવલ્લીમાં 10 કેસ, બોટાદ - પોરબંદરમાં 5 - 5 કેસ, પંચમહાલમાં 1, વલસાડમાં 1, અમરેલીમાં 1 મોત, નવસારીમાં 2, દ્વારકામાં 1, બોટાદમાં 1 મોત થયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube