ગાંધીનગર: કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,446 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 45,073 ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 173 કેસ એક્ટિવ છે. જે પૈકી 01 નાગરિકો વેન્ટિલેટર પર છે. 172 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,13,446 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,944 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું.


શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની વર્ગ-3 સંવર્ગના શિક્ષક સહાયકો માટે મહત્વપૂર્ણ જાહેરાત 


નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 24, વડોદરા કોર્પોરેશનમાં 8, જામનગર કોર્પોરેશનમાં 1 એમ કુલ 33 કેસ નોંધાયા છે.



હવે સાચું કોણ? નરેશ પટેલ કહે છે 'હું દિલ્હી ગયો જ નથી, કે કોંગ્રેસ હાઈકમાન્ડને મળ્યો જ નથી'


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 911 ને પ્રથમ તથા 13138 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 161 ને પ્રથમ અને 3362 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 7709 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 2649 ને રસીનો પ્રથમ અને 17143 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 45,073 કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 10,82,48,147 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube