ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 293 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 729 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,08, 013 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધીરને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,15,002 રસીના ડોઝ અપાયા હતા. 


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 2942 એક્ટિવ કેસ છે. જે પૈકી 34 વેન્ટીલેટર પર છે જ્યારે 2908 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,08,013 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10919 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે 8 નાગરિકોનાં મોત થયા હતા. જેમાં 2 વડોદરા કોર્પોરેશનમાં, વડોદરામાં 2, સુરત 1, ગાંધીનગર 1, તાપી 1, જામનગર 1 એમ કુલ 8 નાગરિકોના મોત થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube