ગાંધીનગર: ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 16 નવા કેસ આવ્યા હતા. તો બીજી તરફ 25 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,565 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,89,649 નાગરિકોનું રસીકરણ થયું છે. 


શાળામાં વિદ્યાર્થીઓની 100% હાજરી મુદ્દે સરકારે જોખમ ન લેવું જોઈએ, વાલીઓ પર નિર્ણય છોડો..

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2561 ને રસીનો પ્રથમ અને 22182 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2654 ને રસીનો પ્રથમ અને 11114 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 13239 ને પ્રિકોર્શ ડોઝ અને 12-14 વર્ષના તરૂણો પૈકી 137899 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 1,89,649 રસીના ડોઝ આજના દિવસમાં અને અત્યાર સુધીમાં કુલ 10,50,83,628 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube