ગૌરવ પટેલ/અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટનો ખતરો વધ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના ખતરનાક વેરિયન્ટ ઓમીક્રોનના વધતા કેસ સામે આજનો દિવસ મહત્વપુર્ણ સાબિત થનાર છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ અને AMCના હેલ્થ વિભાગ પર આજે સૌથી મોટી જવાબદારી છે, જો એક ચૂક થઈ તો તેની મોટી સજા ભોગવવી પડે તેમ છે. હવે તમે કહેશો કે અમદાવાદમાં આજનો દિવસ કેવી રીતે મહત્ત્વપૂર્ણ છે. તો આજે અમદાવાદના એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રાઓનું મોટા પાયે આગમન થનાર છે. આ માહિતી કોઈને પણ ડરમાં મૂકી શકે તેમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમદાવાદના એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રાઓનું મોટા પાયે આગમન થનાર છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, આજે દિવસ દરમિયાન 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. અંદાજે 2000થી વધારે પેસેન્જર અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જેમાં 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં હાઇરીસ્ક કન્ટ્રી લંડન અને સિંગાપોરની ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. જેના કારણે તંત્ર સતર્ક બન્યું છે.


અમદાવાદ એરપોર્ટ પર બે પ્રકારના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં રેપિડ RTPCR અને નોર્મલ RTPCRનો સમાવેશ થાય છે. રેપિડ RTPCRનો રીપોર્ટ માત્ર એક કલાકમાં આવે છે, જેની કિંમત 2700 રૂપિયા છે, જ્યારે નોર્મલ RTPCRનો રીપોર્ટ 8થી 10 કલાકે આવે છે, જેની કિંમત 400 રૂપિયા છે. એરપોર્ટ પર સ્કિનિંગની જવાબદારી જિલ્લા આરોગ્ય તંત્ર પર અને પોઝીટીવ દર્દીની સારવારની જવાબદારી AMC પર રહેલી છે. જેના કારણે બન્ને તંત્ર એરપોર્ટ પર મોજૂદ છે અને વિદેશથી આવતા પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે. મિડીયમ રીસ્ક કંન્ટ્રીના મુસાફરોનું રેન્ડમ ચેકીંગ કરવામાં આવશે. પરંતુ એરપોર્ટ ઓથોરિટીની આ બેદરકારી ઓમિક્રોનના કેસ વધારી શકે છે. 


વિદેશથી આજે ક્યારે અને કેટલી ફ્લાઇટ અમદાવાદ આવશે


દેશ        સમય        મુસાફરો


દોહા      રાત્રે 02:05       186


અબુધાબી રાત્રે 2:35      175


કુવૈત     રાત્રે 2.50       110


દુબઇ   રાત્રે 2.55        173


લંડન   રાત્રે 3.10        200


દુબઇ   રાત્રે 3.45        160


શારજાહ  સવારે 4.35    200


કુવૈત   સવારે 7.55      150


દુબઇ   સવારે 08.05      135


કુવૈત   સાંજે 6.05        140


શારજાહ  સાંજે 7.20      170


સિંગાપોર રાત્રે 9.50      200


નૈરોબી રાત્રે 10.30       135


મસ્કત રાત્રે 11.35        155