• આજે બુધવારે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન રૂકમણીજી સાથે વિધિવત રીતે થવા જઈ રહ્યાં છે

  • રાત્રે લગ્નના ફેરા લઈને લગ્ન સંપન્ન થયા બાદ ભગવાન મધુવનમાં રોકાણ કરશે

  • બીજા દિવસે સવારે 9 કલાકે જાન વિદાય થશે, છેલ્લા હજારો વર્ષથી ઉજવાતી આ પરંપરા પાછળ ભવ્ય ઈતિહાસ છે


અજય શીલુ/પોરબંદર :‘માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે તે રાણી રુકમણી મન વાચ્છીંત શ્રી ભગવાન’ પોરબંદરના માધવપુર ધેડમાં છેલ્લા 5 હજાર વર્ષથી વધુ સમયથી ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી ભગવાન માધવરાય અને રુકમણીના વિવાહ મહોત્સવ ઉજવાય છે. વિવાહ મહોત્સવને લઈને માધવપુરમાં 5 દિવસીય ભાતીગળ મેળો પણ યોજાય છે, તો ત્રણ દિવસ ભગવાન માધવરાયનુ ફુલેકુ કાઢવામાં આવે છે અને બારસના દિવસે ભગવાન માધવરાય અને રુકમણીના વિવાહ થાય છે. ત્યારે આજે બુધવારે બારસના દિવસે રુકમણી અને ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન યોજાશે, જેમાં આખુ માધવપુર જાનૈયા બનીને જોડાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર જિલ્લાનુ માધવપુર ગામ દરિયા કિનારા પર વસેલુ છે. પોરબંદરથી 60 કિલોમીટર દુર આવેલ આ ગામમાં ભગવાન ત્રિકમરાય તથા માધવરાય બિરાજમાન હોવાથી જ ગામનુ નામ માધવપુર પડ્યુ હતું. પોરબંદરના રાજવી પરિવાર દ્વારા બંધાવી આપેલ હવેલીમાં ભગવાન માધવરાય અને ત્રિકમરાયજીની જુગલ જોડીની વૈષ્ણવ પરંપરા મુજબ પૂજા વિધી કરવામાં આવે છે. કહેવાય છે કે, દેશમાં આ એક માત્ર એવુ મંદિર છે જ્યા બંન્ને ભાઈઓની આ રીતે એક સાથે મૂર્તિઓ આવેલી છે. 


આ પણ વાંચો : બુલેટ ટ્રેનને લઈને મોટા અપડેટ, બસ આ વર્ષથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઈ જશે 


છેલ્લા 5 હજાર વર્ષથી માધવપુર ગામમાં ભગવાન માધવરાય અને રાણી રુક્મણીનો ભવ્ય વિવાહ મહોત્સવ ઉજવાય છે. જેમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આ વિવાહને લઈને ભરાતા ભાતીગળ મેળાનો લ્હાવો લેવા ભક્તો ઉમટી પડતા જોવા મળે છે. આ વર્ષે પણ માધવપુરમાં આ વિવાહ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ મેળામાં હાજરી આપી હતી. ભગવાન માધવરાય અને રાણી રુકમણીના ધાર્મિક વિધિથી ગાંઘર્વ લગ્ન કરવામાં આવ્યા હતા. જેને લઈને આ ઉજવણી દરમિયાન સમગ્ર માધવપુર ગામ માધવમય બની જતુ હોય છે. છેલ્લા હજારો વર્ષથી ઉજવાતી આ પરંપરા પાછળ ભવ્ય ઈતિહાસ રહેલો છે.


આ ઈતિહાસ પર નજર કરીએ તો, વિદર્ભ દેશથી ભગવાન શ્રી કૃષ્ણને રુક્ષ્મણીનો સંદેશો આવતા ભગવાન કૃષ્ણ દારુક્ષ સાથે હજારો રાજાઓની વચ્ચેથી ભવાની મંદિરથી રુક્ષ્મણીનુ હરણ કરે છે. કૃષ્ણના આ પગલાથી નારાજ રુક્ષ્મણીના ભાઈ રુકભ્યા એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, કૃષ્ણને ન મારે ત્યા સુધી તે પાણી ત્યાગ કરશે. ત્યાર બાદ આજના નર્મદાના કિનારા પર ભગવાન કૃષ્ણ અને રુકભ્યા વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં ભગવાન કૃષ્ણ દ્વારા રુકભ્યાને બંદી બનાવી દેવામાં આવે છે. ત્યાર બાદ બલરામ દ્વારા કૃષ્ણને સમજાવાતા તેઓ તેને મુક્ત કરે છે. ત્યાર બાદ ભગવાન કૃષ્ણએ ભોજકર ગામ વસાવ્યુ, જેને આજે આપણે ભરુચ તરીકે ઓળખીએ છીએ. ત્યાં ભગવાન દ્વારા શંખનાદ કરીને બધાને સંદેશો આપી તેઓ માધવશ્રેત્રમાં આવી સમુદ્ર પાસે વિનંતી કરી છે કે તેઓને એ જગ્યા આપવામાં આવે જ્યા કોઈ કર્મ ન થયુ હોય. ત્યાર બાદ સમુદ્ર થોડો પાછળ જાય છે અને ત્યાર બાદ ભગવાન માધવરાય મધવુન ખાતે રાણી રુક્ષ્મણી સાથે વિવાહ યોજે છે તેવુ માવધપુરના માધવરાયજી મંદિરના મુખિયાજી ઋચિત સેવકે જણાવ્યું. 


ભગવાન માધવરાયના વિવાહ મહોત્સવને લઇને માધવપુર સહિત સમગ્ર પોરબંદર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિવાહ મહોત્સવને લઇને સમગ્ર માધવપુર અને આ માધવપુર મેળામાં આવનાર સૌ કોઇ માધવમય બની આ પૌરાણિક વિવાહ ઉત્સવ તેમજ મેળાને ઉત્સાહ સાથે માણે છે. 


આ પણ વાંચો : 


પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી જી.કિશનરેડ્ડી આવ્યા, માધુપુરના મેળાનું અનોખું મહાત્મય ગણાવ્યું


VIDEO: ભાજપના પૂર્વ નગરસેવક દ્વારા લગ્નપ્રસંગે ફાયરિંગ કરતાં વિવાદ, કાયદાના લીરેલીરા ઉડ્યા