Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આવતીકાલે 1 ડિસેમ્બરે 89 બેઠક માટે મતદાન થશે. મતદારોનો રીઝવવા રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને AAP ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠક કરશે. આવતીકાલે 1 ડિસેમ્બરે 89 બેઠકો માટે મતદાન યોજાશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ તબક્કાના મતદાનને 24 કલાક બાકી છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થશે. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે. 2 કરોડ 13 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 6 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે. 


19 જિલ્લામાં કયા જિલ્લાની કેટલી બેઠકો પર મતદાન થશે તેની વાત કરીએ તો...


કચ્છ જિલ્લાની 6 બેઠક....
સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક..
મોરબી જિલ્લાની 3 બેઠક..
રાજકોટ જિલ્લાની 8 બેઠક...
જામનગર જિલ્લાની 5 બેઠક...
દેવભૂમિ દ્વારકાની 2 બેઠક...
પોરબંદર જિલ્લાની 2 બેઠક..
જૂનાગઢ જિલ્લાની 5 બેઠક..
ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક ...
અમરેલી જિલ્લાની 5 બેઠક..
ભાવનગર જિલ્લાની 7 બેઠક..
બોટાદ જિલ્લાની 2 બેઠક..
નર્મદા જિલ્લાની 2 બેઠક...
ભરૂચ જિલ્લાની 5 બેઠક..
સુરત જિલ્લાની 16 બેઠક..
તાપી જિલ્લાની 2 બેઠક..
ડાંગ જિલ્લાની 1 બેઠક..
નવસારી જિલ્લાની 4 બેઠક..
વલસાડ જિલ્લાની 5



ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ વિશે માહિતી આપતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં મતદાન થશે. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. કુલ 998 ઉમેદવારો મેદાન છે. કુલ 2 કરોડ 13 લાખ મતદારો મતદાન કરશે, જેમાંથી 1 કરોડ 15 લાખ મહિલા મતદારો છે. 6 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. 163 NRI મતદારો છે. 14,382 મતદાન મથકો પર મતદાન થશે. 50 ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ થશે. શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. બે દિવસ પહેલા વોટર માહિતીની સ્લીપનું વિતરણ કરી દેવાયું છે. આજે સાંજે 5 વાગ્યાથી પહેલા તબક્કાનું પ્રચાર બંધ થશે. 5,229 ફરિયાદ અત્યાર સુધી ચૂંટણી પંચને મળી છે. અત્યાર સુધી 9 ફરિયાદ મળી, જેમાં પોલીસ ફરિયાદ કરી છે. 


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતામં બીજા તબક્કા માટે ઝંઝાવાતી પ્રચાર કરશે. મહીસાગર, અમદાવાદ અને ગાંધીનગરના માણસામાં જનસભા સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જનસભા સંબોધશે. સવારે 11 કલાકથી લઈને સાંજના 7 વાગ્યા સુધી અલગ અલગ જનસભા સંબોધવાના છે.