અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજ સિંહ પરમારે આજે એક ટ્વીટ એવું કર્યું કે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જણાવવાનું કે અગાઉ જયરાજ સિંહ પરમાર કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે તેમના આ સૂચક ટ્વીટથી અનેક વાતો વહેતી થઈ છે. એવી પણ માહિતી મળી છે કે તેઓ આવતી કાલે કાર્યકરો જોગ પત્ર લખશે અને ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયરાજ સિંહ પરમારની સૂચક ટ્વીટ
કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારે આજે ટ્વીટ કરીને કહ્યું છે કે આજે મહેસાણા રાજપદથી માતા બહુચરના આશીર્વાદથી...શરૂઆત બહુચરાજીથી... કોને ફિકર છે કે 'કબીલા'નું શું થશે? બધા એ જ વાત પર લડે છે કે 'સરદાર' કોણ હશે". 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube