રાજેન્દ્ર ઠક્કર, કચ્છઃ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે વાવાઝોડું ત્રાટકી શકે છે. આ વચ્ચે ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકને ઈજા પહોંચી છે. લખુરાઈ ચાર રસ્તા પર દીવાલ પડતા બે બાળકોના મોત થયા છે. બાળકો રમી રહ્યાં હતા ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. ભારે પવનને કારણે દીવાલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે બાળકોએ ગુમાવ્યા જીવ
પ્રાપ્ત વિગત અનુસાર ભુજના લખુરાઈ ચાર રસ્તા પર બાળકો રમી રહ્યાં હતા આ દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ નીચે દબાવાને કારણે બે બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળકને ઈજા થઈ છે. બાળકોના પરિવારજનોએ કહ્યું કે ભારે પવનને કારણે દીવાલ ધરાશાયી થઈ છે. બંને બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 


વાવાઝોડાના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube