રાજકોટઃ સમગ્ર રાજ્યમાં આજે લોકો જન્મષ્ટમીનો તહેવાર ઉજવી રહ્યાં છે. કૃષ્ણ જન્મની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટના રામનાથપરામાં આવેલા ભવાનીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસકર્મિને ઈજા થઈ હતી. આ ઘટનામાં 15થી વધુ લોકોને ઈજા થતા સારવાર માટો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


પોલીસે કરી 50થી વધુની અટકાયત
આ ઘટનાને પગલે પોલીસે બંન્ને જૂથના 50થી વધુ લોકોની અટકાયત કરી છે. આ વિસ્તારમાં તંગ માહોલ જોવા મળ્યો હતો. હાલ તો પોલીસે આ મામલો થાળે પાડ્યો હોય તેમ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઘટનાસ્થળે એસીપી, ડીપીસી સહિત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દોડી ગઈ હતી. હાલ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.