સુરત: સુરતમાં બાળકીનાં મોતની ઘટના સામે આવી હતી...બે બાળકીઓ પાણીની ટાંકીમાં ડુબી ગઇ હતી. જેમાં એક બાળકીનું ટાંકીમાં ડુબી જતાં મોત થયું હતું. અન્ય એક બાળકીને સ્થાનિકો દ્વારા બચાવાઇ હતી. સુરતનાં મગદલ્લા વિસ્તારમાં આ દુખદ ઘટના બની હતી. જેમાં બે બાળકીઓ પાણીની ટાંકીમાં ડુબી જતાં એકનું મોત થયું હતુ. સ્થાનિક લોકો દ્વારા એક બાળકીને બચાવી લેવામાં આવી હતી.જ્યારે એક બાળકીને 108માં સારવાર દરમિયાન મોત થયું હતું. 


ઘટના બનતાની સાથે જે આજુ-બાજુના વિસ્તારના લોકો દ્વારા પાણીની ટાંકીમાં પડેલી અન્ય એક બાળકીને બચાવી લેવાઇ હતી. મહત્વનું છે કે બિહારથી કામની શોધમાં આ પરિવાર સુરત આવ્યો હતો તે દરમિયાન પાણીની ટાંકીમાં બે બાળકીઓનાં ડુબવાનાં કારણે આ ઘટના બની હતી. મૃતક બાળકીનું નામ નામ સરસ્વતી દિલીપસિંહ તોમર અને તેનો પરિવાર રોજગારી મેળવવા માટે બિહારથી ગુજરાતમાં આવ્યા હતા.