રાજેન્દ્ર ઠક્કર/ ભુજ: મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના ચારણ યુવાનો પર મુન્દ્રા પોલીસ મથકે દમન ગુજારાતા બે યુવાનોના મોત નિપજતા કચ્છ સહિત રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. રક્ષક જ ભક્ષક બને ત્યારે આમપ્રજા કેમ સુરક્ષિત રહી શકે તેવો રોષ પણ ભભૂકી રહ્યો છે. આ ઘટનામાં સામેલ તમામ જવાબદારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે ચારણ સમાજ દ્વારા મુન્દ્રા બંધનું એલાન અપાતા અન્ય સમાજો તેમજ વેપારી એસોસિએશનએ પણ તેને સમર્થન આપતા બંધને સજ્જળ પ્રતિસાદ સાંપડયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુન્દ્રા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. મુન્દ્રા પોલીસ મથકે સમાઘોઘા ગામના ચારણ યુવાનોને ઢોર માર મારતા એકનું તે સમયે મોત નિપજ્યું હતું અન્ય 2 યુવાનોને પણ ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ રખાયા હતા, જે પૈકીના બીજા યુવાને બે દિવસ પુર્વે દમ તોડયો હતો. બે યુવાનોના પોલીસના દમનથી મોત નિપજતા પરિવારજનો પર તો આભ તુટી પડયું છે તેની સાથોસાથ ચારણ સમાજ ઉપરાંત સમગ્ર કચ્છવાસીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારીઓની હજુ સુધી ધરપકડ થઈ ન હોઈ રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે.


આ પણ વાંચો:- Gujarat Corona Update: કોરોનાના 232 કેસ નોંધાયા, 450 દર્દી થયા સાજા; એકનું મોત


આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી પરિવારજનોને ન્યાય અપાવવાની બુલંદ બની રહેલી છે. આજે સમાઘોઘા ખાતે અખિલ કચ્છ ચારણ સભા દ્વારા શાંતિ સંમેલન યોજાયું હતું. જેમાં સમાજના મોભીઓ, આગેવાનો, કાર્યકરો સહિતના અન્ય સમાજના લોકો કચ્છભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. પોલીસના દમનથી મૃત્યુ પામેલ બે યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથોસાથ આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ ઘડવી તેના પર પણ ચર્ચા કરાઈ હતી. અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ વિજયભાઈ ગઢવીએ જણાવ્યું કે, પોલીસ દ્વારા ગુજારાયેલ દમનમાં બે યુવાનોના મોત નિપજતા સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. અમે આક્રોશને દબાવી બેઠા છે.


આ પણ વાંચો:- Vadodara: માનું દૂધ પીધું હોય તો જેને લડવું હોય તે નવલખી મેદાનમાં આવી જાય- મધુ શ્રીવાસ્તવ


અત્યંત ગંભીર બનાવમાં સરકાર અને આગેવાનો તરફથી મોડી પ્રતિક્રિયા આવી છે. પીડિત પરિવારને ન્યાય અને વળતર મળે તેવી અમારી માંગણી છે. ટ્રાયલ ચાલે ત્યાં સુધી પીડિત પરિવારોને રક્ષણ પણ મળવું જોઈએ. ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર રાજ્યમાં પોલીસની આવી જ હાલત છે. સ્થાપિત હિતો અને પૈસાદારોના ઈશારે પોલીસ નાચે છે. આજરોજ અપાયેલા બંધના એલાનમાં મુન્દ્રા ઉપરાંત ઝરપરા, નાની – મોટી ભુજપુર, બોરાણા, નાના કપાયા, મંગરા, શેખડીયા, વવાર, મોટી ખાખર, મોટા કાંડાગરા, ભાડીયા, બાડા, ભાડા, કોડાય, રાયણ, લાયજા, પાંચોટીયા, કાઠડા, દેશલપર કંઠી, શીરાચા, નવીનાળ સહિતના ગામોમાં બંધની અસર જોવા મળી હતી.


આ પણ વાંચો:- Deepak Srivastava નું ઉમેદવારી ફોર્મ થયું રદ, અપક્ષ તરીકે નોંધાવી હતી ઉમેદવારી


સમાઘોઘા ખાતે યોજાયેલ શાંતિ સંમેલનમાં અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ એ જણાવ્યું હતું કે, તપાસ ચોક્કસ દિશા તરફ આગળ ધપી રહી છે. ગુનેગારોને ફાંસીના માચડે ચડાવાની ઉમ્મીદ છે. પશ્ચિમ કચ્છ એસપી સૌરભસીંગના સીધા નેતૃત્વ તળે ટીમ ડીવાયએસપી જે.એન.પંચાલ સારી કામગીરી કરી રહ્યા છે. તપાસ પર પુરતો ભરોસો છે. સાક્ષિઓને કોઈ ભૂ-માફિયા દબાવે નહીં તે માટે રક્ષણ આપવાની સાથો સાથ કુટુંબને વળતર મળે તે માટે લડત ચાલુ રહેશે. 


આ પણ વાંચો:- Surat માં માત્ર 4 ફૂટના અપક્ષ ઉમેદવારે નોંધાવી ઉમેદવારી, ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા


મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી મામલે શકદાર તરીકે ત્રણ યુવાનોને પોલીસ મથકે લવાયા હતા, જે બાદ જે ઘટના બની તેનાથી સૌ કોઈ વાકેફ છે. બનાવની જાણ થતાં જ મુન્દ્રા પીએસસીમાં પોલીસ ઓફિસર પહોંચ્યા અને લીગલ જે એકશન લેવાના થશે તે લીધા હતા. આઈજી અને એસપીની સૂચનાથી તાત્કાલિક તપાસ શરૂ કરાઈ હતી. જે-તે દિવસે ફરિયાદમાં ત્રણ આરોપીઓના નામ હતા, પરંતુ તપાસમાં અન્ય પોલીસ તેમજ સિવિલિયન્સના નામ પણ ખૂલ્યા છે.


આ પણ વાંચો:- Dr Pravin Togadiaની પાર્ટીએ ભરૂચ નગરપાલિકામાં ઝંપલાવ્યું, તમામ વોર્ડમાં ઉભા રાખશે ઉમેદવાર


યુવાનોની સારવાર માટે પુરતા પ્રયાસો કરાયા છે. પોલીસ પ્રજાની સાથે જ છે. આ ગુનામાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાક્ષીની સુરક્ષાની જવાબદારી પોલીસ ની છે. ગુજરાત અને ગુજરાત બહાર તપાસ ચાલી રહી છે. એટીએસને પણ તપાસમાં જોડવામાં આવી છે. ગઢવી સમાજે પોલીસને સહકાર આપ્યો તે ઉદાહરણ રૂપ છે. આગામી દિવસોમાં પણ આવા જ સાથ સહકારની આશા પોલીસે વ્યક્ત હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube