તેજશ મોદી/સુરત :તાપી નદીના ઉપરવાસમાં થયેલા ભારેથી અતિભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી રુલ લેવલ વટાવી ચૂકી છે. ઉકાઈ ડેમની હાલની સપાટી હાલ 337.24 ફૂટ થઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 2 લાખ ક્યૂસેક છે. જ્યારે 1.92 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા કોઝવેનું સ્તર ભયજનકથી 3.5 મીટર ઉપર વહેતાં તાપી નદીનાં પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે સેન્ટ્રલ ઝોનના પાંચ અને કતારગામ ઝોનના બે ફ્લડગેટ બંધ કરવામાં આવતાં ગટરિયાં પૂર લોકોનાં ઘરમાં ઘૂસવા માંડ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદીઓએ સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં આપ્યો સાથ, દશામાની મૂર્તિ રિવરફ્રન્ટ પર જ મૂકી


ઉકાઇ ડેમના ડાર્ક ઝોનમાં ભારે વરસાદના કારણે ડેમમાં 6 લાખ ક્યુસેક જેટલો પાણીઓ આવરો થઇ રહ્યો હતો. પરિસ્થિતિને ધ્યાને લઇને મનપા કમિશનર અને કલેક્ટર સાથે સિંચાઇ વિભાગની બેઠકમાં આગામી દિવસોમાં વરસાદની પરિસ્થિતિ તેમજ તાપી નદીની વહન ક્ષમતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સિંચાઇ વિભાગ અને પીવાના પાણી સહિતની બાબતોને ધ્યાને લઇને તાપી નદીની સુરત શહેરમાં વહન ક્ષમતા 2 લાખ ક્યુસેક હોવાનું જણાયું હતું. જેને ધ્યાને લઇને ડેમમાંથી 1.92થી 1.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. રુલ લેવલ મેઇન્ટન કરવા ગણતરી કરીને પાણી છોડવામાં આવે છે.


Photos : આંખોમાં ન સમાય તેવું સૌંદર્ય હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સર્જાયુ છે


વડોદરાના માથે ફરી પૂરનો ખતરો, લોકોના ઘરોમાં ઘૂસ્યા વિશ્વામિત્રીના પાણી


શહેરના કાદરશાળની નાળ, ભરીમાતા, હોડી બંગલો, પંડોળ સહિતના વિસ્તારમાં ગટરનાં પાણી બેક મારતાં 2થી 3 ફૂટ જેટલા પાણી લોકોના ઘરમાં ભરાઈ ગયાં હતાં. જ્યારે અડાજણમાં સરિતાસાગર પાસેથી તાપીનું પાણી ઘૂસવાનું શરૂ થતાં લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. અડાજણના રેવાનગરમાંથી 250 લોકોનું સ્થળાંતર કરી નજીકની સરકારી શાળામાં રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ધાસ્તીપુરા વિસ્તારમાં પાણી ભરાતા ખાનસાબના ભાઠુના 50 જેટલા સ્થાનિક રહીશોનુ સ્થળાંતર કરી ને તેઓને સોદાગરવાડ સ્કૂલ નંબર 145 ખાતે રાખવામાં આવ્યાં છે. તેઓને ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું. પાણી વધતાં સાવચેતીરૂપ વરીયાવ વિસ્તારના હળપતિવાસ ખાતે રહેતાં 107 લોકોનું સ્થળાંતર સલામત સ્થાને કરવામાં આવ્યું હતું.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :