ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના ફૂંફાડા મારી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કેસોમાં તબક્કાવાર રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 226 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 163 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,616 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,584 રસીના ડોઝ અપાયા હતા.


જો કે સરકાર હવે કોરોના ગાઇડલાઇનનું ફરી કડકાઇથી પાલન થાય તે માટેના પ્રયાસો ચલાવી રહી છે. તમામ નાગરિકોને ફરજીયાત માસ્ક પહેરવા માટે ફરી એકવાર અપીલ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પણ કડકાઇથી તમામ નિયમોનું પાલન કરાવવા માટેના પ્રયાસો કરાવાઇ રહ્યા છે. તેવામાં કોરોના હવે કેટલી હદે ફરી એકવાર સીરિયસ બની ગયો છે તેની માહિતી તે પરથી જ મળી શકાય કે ગુજરાતનાં આરોગ્ય પ્રધાન રૂષીકેશ પટેલ પોતે જ કોરોનાની ઝપટે ચડી ગયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube