કેતન બગડા/અમરેલી: કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતની મુલાકાતે છે. રાજનાથસિંહે ભાવનગર એરપોર્ટ પર બી.એસ.એફના હેલીકોપ્ટર મારફતે આગમન કર્યું હતું. ત્યાર બાદ તેઓ સીધા અમરેલી જવા માટે રવાના થયા હતા. અમરેલીમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણમાં રાજનાથસિંહ હાજર રહ્યાં. જ્યાં તેમણે ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બૅન્ક દ્વારા દ્વારા તૈયાર કરાયેલા ખેડૂત રથનું પણ લોકાર્પણ કર્યું હતું. સાથે જ 5 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાયું. આ પ્રસંગે પુરુષોત્તમ રૂપાલા, આર.સી.ફળદુ, સાંસદ કાછડિયા, દીલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.