Mahesana News : એક આદર્શ ગામ તરીકે તમને કોઈ ગામનું નામ લેવું હોય તો કયુ લો. ત્યારે આંખ મીંચ્યા વગર ગુજરાતના એક જ ગામનું નામ મોઢે આવે. એ છે મહેસાણાના બેચરાજી તાલુકાનું ચાંદણકી ગામ. આ ગામની ખાસિયત છે કે, આ ગામમાં કોઈના ઘરે ચુલો સળગતો નથી. ચુલો માત્ર ગામમાં એક જ જગ્યાએ પેટવાય છે અને આખું ગામ એક રસોડે જમે છે. 21 મી સદીમાં માનવામા ન આવે તેવો આ કિસ્સો છે. પરંતુ આ સાચું છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના આ ગુજરાતના આ ગામમાં જોવા મળે છે. તેથી જ ચાંદણકી ગામ ગુજરાતના નક્શામાં અનોખું ગામ તરીકે તરી આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગામમાં મોટાભાગના વૃદ્ધો, સંતાનો વિદેશમાં
મહેસાણા જિલ્લામાં આવેલ તીર્થધામ બહુચરાજીથી અંદાજે5 કિલોમીટર દૂર ચાંદણકી ગામ આવેલું છે. આ ગામમાં અંદાજે એક હજારની વસતી છે. આ ગામમાં 1000ની વસ્તી સામે 900 લોકો તો અમેરિકા અને અમદાવાદમાં સ્થાયી થયા છે. મોટાભાગના લોકો વૃદ્ધ છે. આ એવા વૃદ્ધો છે, જેમના સંતાનો ધંધા-રોજગાર અર્થે દેશ-વિદેશમાં વસવાટ કરે છે. વતન તેમજ વૃધ્ધ મા-બાપથી દુર રહેતા સંતાનોને ઢળતી ઉંમરમાં માતાઓને ભોજન બનાવવાની કડાકુટ ન રહે તે માટે હંમેશા ચિંતા કોરી ખાતી હતી. ગામના વડીલોને જમવાની ચિંતામાંથી મુક્ત કરવા તેમના સંતાનોએ એકસંપ થઈ ગામમાં જ તમામ વડીલો એક જ રસોડે જમે તેવી અનોખી વ્યવસ્થા ઉભી કરી દીધી.


ગુજરાતના આ હાઈવેથી જતા હોવ તો રસ્તો બદલી દેજો, બે કલાકથી છે ટ્રાફિક જામ


ઘંટનાદ થતા જ બધા ભેગા થાય છે
એક રસોડે જમવાની પ્રથા અનોખી છે. ત્યારે તેના માટે કેટલાક નિયમો છે. ચાંદણકી ગામમાં સવારના અગ્યાર વાગે ઘંટનાદ થતાં જ તમામ વૃધ્ધો ઘરના દરવાજા બંધ કરીને નીકળી પડે છે. ગામના પ્રવેશદ્વારની ડાબી બાજુએ આવેલ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે પહોંચી જાય છે. મંદિર પરિસરમાં થોડી જ વારમાં ટેબલ-ખૂરશી ગોઠવાઈ જાય છે અને વડીલોને સન્માનભેર ભોજન પીરસવાનું શરૂ થઈ જાય છે. આમ, એકસાથે બધા સુખદુખના સાથીની જેમ ભેગા મળીને જમે છે. તો વડીલો એકબીજાને ભોજન પણ પિરસે છે. 


આ પ્રથાથી ફાયદો
આ પ્રથાનો ફાયદો એ છે કે, એકસાથે જમતા વડીલો એકબીજાના સુખદુખના સાથી બનીગ યા છે. પરિવાર વિદેશમાં હોઈ ઘરમાં વાત કરવા કોઈ હોતું નથી. તેથી આ પ્રકારે બધા ભેગા મળે એટલે સમય પણ પસાર થઈ જાય. આજે આ ગામમાં રહેતા દરેક વૃદ્ધને ગામમાં એકલા રહેવાનો કોઈ વસવસો નથી કે પછી પોતાના બાળકો સાથે નહિ રહેવાનો પણ વસવસો નથી.


BBA-BCA અને B Tech પાસ પણ ગુજરાતી શાળાઓમાં શિક્ષક બનશે, સરકારે નિયમો બદલ્યા


કોઈ ઘરે રસોઈ બનાવતું નથી 
આ વરિષ્ઠ વૃધ્ધોએતો એવું આયોજન કરી દીધું કે કોઈએ પોતાના ઘરમાં રસોઈ જ બનાવવી નથી પડતી. અને સવાર બપોર સાંજ એક જ રસોડામા ચા-પાણી અને જમવાનું થાય છે. જી હા એ જાણીને નવાઈ લાગશે  કે દરરોજ 60 જેટલા વૃધ્ધો એક જ રસોડે જમે છે. અને રસોઈ બનાવવાની કોઈ ઝંઝટ જ નહિ.  


જો દરેક ગામ, સોસાયટી આવા વિચારો અપનાવે તો વૃદ્ધાશ્રમ બને જ નહિ. સાથે જ વિદેશ રહેતા સંતાનોને પણ માતાપિતાની ચિંતા કોરી નહિ ખાય, એકબીજા સાથે આ રીતે સુખદુખના સાથી બનીને રહેશે.


મિ. નટવરલાલનો રેલો ગુજરાતના CMO સુધી પહોંચ્યો, છાંટા PRO પર ઉડશે