ગૌરવ પટેલ/અમદાવાદ :ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં નાપાક તીડની આતંકી (Loctus attack) સેના ખેડૂતોના પાકનો ખાતમો બોલાવી રહી છે ત્યારે આપણી ચેનલ ZEE 24 કલાકે મોટો ખુલાસો કરવા જઈ રહી છે. આ ખુલાસો કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગની ઊંઘ ઉડાડી દેશે. ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર પર તીડની નાપાક સેના હુમલો કરવા માટે ઉછરી રહી છે તેવી માહિતી સંયુક્ત રાષ્ટ્રસંઘ (United nations) સાથે જોડાયેલી કૃષિ સંસ્થાએ નવેમ્બર મહિનામાં જ જાહેર કરી હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગ ઊંઘતા રહ્યા અને તીડની આતંકી સેનાએ ગુજરાતનાં ખેતરોમાં તબાહી મચાવી દીધી. UNએ 4 ડિસેમ્બરે જાહેર થયેલા સત્તાવાર બુલેટીનમાં ભારત પર ખતરો હોવાનું જણાવાયું હતું. જો તંત્રએ આ આગાહીને ગંભીરતાથી લઇ કામગીરી કરી હોય તો તીડનો આતંક અટકાવી શકાયો હોત. ભારતમાં હાલ તીડના આક્રમણથી 34074 હેક્ટરના પાકને તીડથી ખતરો હોવાનું અનુમાન છે.


CAA મુદ્દે ગુજરાતમાં સળગેલા આંદોલનોને શાંત કરવા આજે ભાજપનું મહાઆયોજન, 62 રેલી નીકળશે  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તીડના ખાતમા માટે જે ધારાસભ્યો અત્યારે હેલિકોપ્ટરથી દવા છંટકવાની વાત અત્યારે કરી રહ્યા છે એ કામ ખેતીવાડી વિભાગ નવેમ્બર મહિનામાં કરી શક્યો હોત. પરંતુ યૂએનના રિપોર્ટને ગંભીરતાથી લેવામાં ના આવ્યો અને નાપાક તીડની સેનાએ ગુજરાતમાં હુમલો કરી દીધો. તો ZEE 24 કલાક પર તીડના તરખાટ મામલે મોટો ખુલાસો કર્યો છે. નવેમ્બર મહિનામાં જ તીડના આક્રમણનું અલર્ટ અપાયું હતું. આ એલર્ટ UNના કૃષિ વિભાગે આપ્યું હતું. નવેમ્બર મહિનામાં જ તીડ ત્રાટકવાની આગાહી કરી હતી, પરંતુ કૃષિ વિભાગના બાબુઓ અને કૃષિ મંત્રાલય ઊંઘતો રહ્યો જેના કારણે તીડની આતંકી સેનાએ હજારો ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....