અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદ ખાતે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સભા ગજવી હતી, જ્યાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સહિત અન્ય સમાજના લોકો સભામાં ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો હાલ જોરશોરથી પ્રચાર કરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સરહદી પંથકના મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું. જ્યાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, CR પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન


વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને RSSને આડે હાથ લીધી હતી. ભાજપ અને RSSમાં ના જોડાવા સમાજને અપીલ કરી હતી. સાથે સાથે પ્રતિજ્ઞા લેવડાવી કે આરએસએસની શાખામાં કોઈને જવું નહીં અને ભાજપને મત આપવા નહીં તેવી પ્રતિજ્ઞા લેવડાવમાં આવી હતી. 


અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે, પણ..


જીગ્નેશ મેવાણીએ આક્રોશ કરતા કહ્યું કે દિલ્હીની સડકો ઉપર ખેડૂતો ભાજપ સરકારના કારણે બલિદાન આપવા મજબુર બન્યા અને જે બહેનો વિધવા થઈ એના મંગળસૂત્રની ચિંતા ભાજપ સરકારે ના કરી એ સરકારને પાડવી એ નાગરિક કર્તવ્ય સમજુ છું. આ આરએસએસ અને ભાજપની સરકાર સંપૂર્ણપણે દલિતો, આદિવાસી, ઓબીસી, એસટી, વિરોધી છે. આંબેડકર વિરોધી છે, બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે.


ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ગર્ભિત ધમકી, કહ્યું; 'આ કોઈના થયા નથી તો તમારા શું થશે' 


જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, જે પ્રમાણે ભાજપે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે તેમ અમે પણ આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું, આજે 5 હજાર દલિતોએ પ્રતિજ્ઞા લીધી કે જીવનમાં ભાજપને વોટ નહિ આપીએ અને આરએસએસની શાખામાં પગ નહિ મૂકીએ, રાવણનું પણ અભિમાન નથી ટક્યું તો ભાજપનું પણ નહીં ટકે.


અમદાવાદ: 22 વર્ષીય યુવતીના ફોટા પર 'એસ્કોર્ટ ગર્લ' લખીને અજાણ્યા શખ્સે કર્યો કાંડ!