ચિરાગ જોશી/ડભોઈ :વડોદરામાં ગઈકાલે એક જ પરિવારના 6 લોકોના આત્મહત્યાનો કિસ્સો હજી ચર્ચામા છે. ત્યાં બીજો અજીબ કિસ્સો બન્યો છે. ગોત્રી વિસ્તારમાં એક કન્યાના લગ્નપ્રસંગ બાદ આજે તેની વિદાય હતી, જ્યાં કન્યાનું મોત નિપજ્યું છે. પ્રાથમિક તપાસમાં કન્યાને કોરોના હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે. આ જોતા ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. લોકોમાં સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે વડોદરાના ગોત્રી વિસ્તારમાં ચકચારી બનાવ બન્યો છે. વડોદરામાં વિદાય વેળાએ કન્યાનું મોત નિપજ્યું છે. બન્યું એમ હતું કે, ગોત્રી વિસ્તારમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ લેવાયા હતા. ત્યારે લગ્નનો પ્રસંગ ગણતરીના કલાકોમાં જ માતમમાં ફેરવાયો હતો. ગઈકાલે રાત્રે લગ્ન સમારોહ યોજાયો હતો. જેના બાદ આજે સવારે કન્યા વિદાયનો પ્રસંગ યોજાયો હતો. પરંતુ વિદાય વખતે જ કન્યાને ચક્કર આવ્યાં. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં કન્યાને મૃત જાહેર કરવામાં આવી છે. 


આ પણ વાંચો : હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવા મુદ્દે NSUI એ કહી મોટી વાત 



પ્રાથમિક તપાસમાં, કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે હજી પરિવારે કોઈ સ્પષ્ટતા કરી નથી. કારણ કે, કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પરિવારમાં પણ સંક્રમણ વધે તેવુ દેખાઈ રહ્યું છે. જેથી હાલ તંત્ર આ મામલે તપાસ કરી રહ્યું છે. 


આ પણ વાંચો : સોની પરિવારની આર્થિક સ્થિતિ એવી કંગાળ બની હતી કે, બચતમાં એક રૂપિયા પણ વધ્યો ન હતો