રવિ અગ્રવાલ/વડોદરા : શહેરના ખોડિયારનગર તળાવ પાસેથી મહિલાની મળી આવેલી હત્યા કરેલી લાશનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પત્નિના આડા સબંધના વહેમમાં પતિએ ગળું દબાવ્યા બાદ માથામાં સિમેન્ટનો બ્લોક મારી પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી છે. તારીખ 13 મી માર્ચના રોજ ન્યુ.વીઆઇપી રોડ પર સંતોષીનગરમાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી 45 વર્ષીય કોકિલાબેન ડાભીની ખોડિયારનગર તળાવ પાસેથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગે હરણી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે મોતને ઘાટ ઉતારાયેલ કોકિલાબેનના પતિ વજેસિંહ સ્વરૂપભાઈ ડાભી સહિત પાંચ શકમંદની અટકાયત કરી હતી. જેમાં કોકિલાબેનના પતિએ પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં પત્નિના આડા સંબંધોના કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આરોપી પતિ વજેસિંહ ડાભી ની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં સૌરાષ્ટ્ર બાદ ઉત્તરગુજરાતમાંથી પણ પાણીની બુમ


પોલીસની વધુ પૂછપરછમાં હત્યારા પતિ વજેસિંહ ડાભીએ ખુલાસો કર્યો કે તારીખ 12મી માર્ચના રોજ પત્નિ કોકિલા બપોરના સમયે ઘરેથી નીકળી ગઈ હતી.અને મોડી સાંજે પરત આવી ન હતી. તેની શોધખોળ કરતા ખોડિયાર નગર તળાવ પાસેના ગાર્ડન પાસેથી મળી આવી હતી. જ્યાં તેની સાથે ઝઘડો થતા આવેશમાં આવી તેનું ગળું દબાવી દીધું હતું. તે બાદ નજીકમાં પડેલ સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.


કાતીલ હસીના! નાણાની હેરાફેરી, ડેટા પ્રોવાઇડ કરાવવા સહિતની તમામ કામગીરી કરે


મહત્વની વાત છે કે આરોપી અને મૃતકે પ્રેમ લગ્ન કર્યા હતા છતાં પણ આરોપી પતિ વજેસિંહ ને પોતાની પત્ની પર વિશ્વાસ નહોતો. જેથી તેને આડા સંબંધની આશંકામાં પોતાની જ પત્નીની ક્રૂર હત્યા કરી દીધી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે, સાથે જ આરોપીની કોઈએ મદદગારી કરી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube