Vadodara News : ગુજરાતીઓનું વેકેશન હજી પૂરું થયુ નથી. હજી પણ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગુજરાતીઓ પ્રવાસમાં છે. ત્યારે સિક્કીમ ગયેલા વડોદરાનો રાણા પરિવાર ફસાયો છે. સિક્કીમમાં વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં વડોદરાથઈ ગયેલો રાણા પરિવાર ફસાયો છે. આ પરિવારનો બે દિવસથી કોઈ સંપર્ક નથી. જેથી વડોદરામાં રહેતા તેમના સ્વજનો ચિંતામાં મૂકાયા છે. રાણા પરિવારના 9 સભ્યોનો બે દિવસથી કોઈ અત્તોપત્તો નછી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારજનો ચિંતાતુર બન્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાનો રાણા પરિવાર વેકેશન હોવાથી સિક્કીમ ફરવા ગયો હતો. સિક્કિમના લાચુંગમાં ફરવા ગયેલ વડોદરાનું પરિવાર ત્યા ફસાયો છે. સિક્કિમમાં અચાનક વાદળ ફાટતાં ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં અનેક લોકો ફસાયા છે. વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો પણ ફસાતા વડોદરામાં રહેતા પરિવારના અન્ય સભ્યો ચિંતામાં મૂકાયા છે. 


સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકા


સિક્કીમમાં ફરવા ગયેલા પરિવાર


  • કલાવતીબેન રાણા

  • રાવીશભાઈ રાણા

  • જલ્પાબેન રાણા

  • જ્યોત્સનાબેન રાણા

  • જીનલ રાણા

  • જયશ્રીબેન રાણા

  • અશોકભાઈ રાણા

  • જૈનેશભાઈ રાણા

  • રેખાબેન રાણા


વડોદરાના સમા સ્વાતિ સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બે દિવસથી પરિવારના એક પણ સભ્યોનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. પરિવારમાં તમામ સભ્યો આજે હવાઈ મારફતે પરત વડોદરા આવવાના હતા પણ હજી સુધી કોઇ સંપર્ક નથી થઈ રહ્યો. 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે તમામ લોકો સિક્કિમ ફરવા ગયા હતા. પરિવારમાં રામચંદ્રભાઈના બે મોટા બહેન, એક નાનો ભાઈ અને તેમનો પરિવાર ફરવા ગયો હતો.



જિંદગીની જંગ હારી ગઈ આરોહી! બોરવેલમાં પડેલી બાળકીનું 17 કલાક બાદ મોત