રવિ અગ્રવાલ, અમદાવાદ: વડોદરામાં સોની પરિવારે જ્યોતિષીઓના ચક્કરમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો, અને છેવટે આખા પરિવારે સામૂહિક આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવું પડ્યું. સોની પરિવારના પુત્ર ભાવિન સોનીએ મૃત્યુ પહેલા કેટલાક જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા. ત્યારબાદ તપાસ શરૂ થતા જ પોલીસ પકડથી દૂર રહેવા માટે તમામ જ્યોતિષી રાજસ્થાન ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું. જો કે હવે મોટા અપડેટ એ છે કે પોલીસે બે જ્યોતિષીઓની રાજસ્થાનની ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ જ્યોતિષીઓએ સોની પરિવાર પાસેથી 32 લાખ જેવી માતબાર રકમ પડાવી હતી. 8 જેટલા જ્યોતિષીઓના નામ પોલીસ પાસે હતા. જેમાંથી બેની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. બંનેને વડોદરા લાવીને કોવિડ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હજુ 6 જ્યોતિષી પકડ બહાર છે. અત્રે જણાવવાનું કે સોની પરિવારના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. 


PM મોદી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવે તે પહેલા કોંગ્રેસના નેતાઓને નજર કેદ કરાયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube