જય પટેલ/વલસાડ: એક તરફ અમદાવાદમાં એક યુવતીનું વારંવાર અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ અને અત્યાચાર કરવામાં આવ્યાના અહેવાલ સામે આવ્યાં છે ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લાના વાપીના પંડોર ગામમાં એક સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરાનું ત્રણ યુવાનો દ્રારા અપહરણ કરવામાં આવ્યું અને તેને સતત 10 કલાક સુધી પોતાની કારમાં ફેરવીને માર માર્યો હોવાની ઘટના ઘટી છે. જો કે આ યુવાનોએ તેની સાથે કોઇપણ જાતની શારીરિક છેડછાડ કરી ન હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાપી: સગીરાનું અપહરણ કરીને માર મારી 10 કલાક કારમાં ફેરવી


સગીરાના કહેવા પ્રમાણે તેઓ એક તરફ તેને મારી નાખવાની વાત કરતા હતા. તો બીજી તરફ પોલીસ કેસનો ડર પણ તેમને સતાવી રહ્યો હતો અને અંતે સગીરાને 10 કલાક કારમાં ફેરવ્યા બાદ તેનું જ્યાથી અપહરણ કરવામાં આવ્યું હતું ત્યાં પાછી ઉતારી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થયા બાદ હજુ સુધી આ અપહરણકારોને પોલીસ પકડી શકી નથી. ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે શંકા એ પણ થાય છે કે આ અપહરણકારો બીજી કોઇ યુવતીનું કે સગીરાનું ફરી અપહરણ પણ કરી શકે છે


ગુનેગારો હજુ પોલીસ પકડની બહાર છે. જે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ ઘટના બહુ મોટી અને ગંભીર છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણ કરવા પાછળ તેમનો શું પ્લાન હતો તે હજું પણ અજાણ છે. ઘટનાના પગલે લોકોમાં દહેશત છે. આ સમગ્ર ઘટના અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે શું આ એક ચાઈલ્ડ ટ્રાફિકિંગનો પ્રયત્ન હતો?