રક્ષિત પંડ્યા/ રાજકોટ: ગુજરાતીઓના નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે દિવાળીના તહેવારને લઇ લોકોએ શું તકેદારી રાખવી તે અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સૂચન આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીએ દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને મુખવાસના બદલે એલચી, લવિંગ, ઉકાળો, લીંબુ અને હળદરવાળું દૂધ અસરકારક હોવાનું જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારતને આજે વધુ 3 રાફેલ વિમાન મળશે, ફ્રાન્સથી સાંજે સીધા જામનગર એરબેઝ લેન્ડ થશે


લોકોએ દિવાળીના તહેવાર પર કઈ રીતે સાવચેતી રાખવી તે અંગે રાજકોટ મનપાના નાયબ આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડએ જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. દિવાળી અને નવા વર્ષના દિવસે લોકો એકબીજાને ઘરે જઈને લોકો શુભેચ્છા પાઠવતા હોય છે. પણ હાલની કોરોનાની સ્થિતિમાં આ વખતે લોકોએ વધુ સાવચેતી સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવી પડશે.


આ પણ વાંચો:- મતદાન આપણો હક્ક અને ફરજ: પત્નીના અંતિમ સંસ્કાર કરી પરિવાર સાથે કર્યું મતદાન


આ સાથે મીઠાઈની જગ્યાએ કઠોળ વધુ ખાવા ખુબજ ફાયદાકારક છે. વધુમાં પંકજ રાઠોડે જણાવ્યું હતું કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને મીઠાઈ, ઠંડા પીણા, મુખવાસ ખવડાવતાં હોય છે તેની બદલે જો આ વખતે મુખવાસમાં એલચી, તજ, લવિંગ, ખજૂર, આમળા તેમજ ખાણીપીણીમાં ઉકાળો, મોસંબીનું જ્યૂસ, હળદરવાળું દૂધ, લીંબુ, મધવાળું પાણી, નારિયેળ પાણી આપવામાં આવે તો એ લોકો માટે વધુ અસરકારક રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube