મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના દિલ્હી ચકલા વિસ્તારમાં એક સાથે 100 જેટલા લોકોને ફૂડ પોઇઝનીંગ થતા વીએસ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી હતી. લગ્ન પ્રસંગમાં આવેલા 100 જેટવા લોકો દ્વારા લગ્નના જમણવારમાં જમેલા ભોજનથી ફૂડ પોઇઝનિંગ થતા તબીબો પણ દોડતા થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે લગ્નમાં આવેલા લોકોએ બપોરના સમયે જમવાની સાથે બીયર અને દૂધીનો હલવો ખાવાથી દર્દીઓની હાલત બગડી હતી. જેથી હોસ્પિટલમાં સારવાર માટે એકસાથે 100 જેટલા લોકો બિમાર થયા હતા. જેથી ડોક્ટરો પણ સારાવાર માટે ભારે તકલીફ પડી રહી છે.


દેશના સ્માર્ટ સીટીઓમાં અમદાવાદ ચોથા તો ડાયમંડ સીટી સુરત પાંચમાં સ્થાને


વીએસ હોસ્પિટલમાં એક સાથે 100 જેટલા લોકોને વ્યવસ્થિત સારવાર નહિ મળવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. લગ્ન પ્રસંગમાંના જમણવારમાં કોઇ હાનિકારક પદાર્થ આવી જતા 100 લોકોની તબિયત બગડી હતી. જ્યારે મોટી સંખ્યામાં હોસ્પિટલમાં લાઇનો લાગી હતી. વધી રહેલા દર્દીઓની સારવાર કરવા માટે રાત્રી દરમિયાન તબીબોને ફોન કરીને બોલાવાનો વારો આવ્યો હતો.