વલસાડ : જિલ્લાના ધરમપુર તાલુકાના પીપલપાડા ગામે એક પતિએ પોતાની જ પત્નીની કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી છે. પત્નીની હત્યા બાદ હત્યારો પતિ ઘરમાં જઇને સુઇ ગયો હતો. સવારે પણ પોતાના કામે ક્યાંય જતો રહ્યો હતો. જ્યારે પત્નીની હત્યા ખુબ જ નજીવા મુદ્દે હત્યા થઇ ગયા હતા. હત્યાનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડિયાદમાં મોડી રાત્રે હાઇવોલ્ટેજ ડ્રામા, આખા શહેરનાં લોકોનાં ટોળે ટોળા ઉમટ્યાં


વલસાડ જિલ્લાના  ધરમપુર પીપલપાડા ગામમાં રહેતા પાડવી પરિવારમાં અણછાજતી ઘટના બનીહ તી. પરિવારના મોભી એવા રામચંદ્ર પાડવીએ પોતાની પત્ની જમનાબેન પાડવીની કરપીણ હત્યા કરી નાખી હતી. પતિ-પત્નીને લગ્નજીવન દરમિયાન ત્રણ સંતાનો થયા હતા. બે દીકરા અને એક દીકરી સાથે પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બંન્ને દીકરાઓ  રોજગાર અર્થે ગામથી બહાર અન્ય શહેરમાં રહેતા હતા. દીકરી પણ પરણ્યા બાદ સાસરે રહેતી હતી. 


સરકારમાં 20 વર્ષ રજુઆત કરી થાક્યો, ખેડૂતે આખરે 81 ફૂટ ખોદીકામ કર્યું અને 5 કુવા ખોદી કાઢ્યા


દરમિયાન એકતા રહેતા પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી. પારિવારિક ઝગડા અનેક વખત ઉગ્ર પણ બનતા હોવાથી આસપાસના પાડોશીઓ પણ પતિ-પત્નીને સમજાવટથી મામલો થાળે પાડતા રહેતા હતા. જો કે બે દિવસ અગાઉ રામચંદ્ર પડવીએ પત્ની જમનાબેનની કરપીણ હત્યા કરી નાખી હતી. લાકડામાં ફટકા મારીને હત્યા કરી નાખતા આખા રૂમમાં લોહીથી લથબથ થઇ ગયું હતું. હાલ તો આ મુદ્દે મૃતકની દીકરીએ હત્યાના મુદ્દે ધરમપુર પોલીસ સ્ટેશનમાં તેના જ પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ધરમપુર પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube